Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીને ભાગવતની સલાહઃ બધાને સાથે રાખીને ચાલો

narendra modi
નાગપુર, 22 ઑક્ટોબરઃ ગઇકાલે બંધ બારણે થયેલી ત્રણ કલાકની બેઠકમાં સંઘના વડા ભાગવતે મોદીને ગુજરાતમાં બધાને સાથે રાખીને આગળ વધવા જણાવ્યું હોવાનું સૂત્રોએ કહ્યું છે. સૂત્રોએ કહ્યાંનુસાર ભાગવતે કહ્યું કે, તમે ગુજરાતમાં બધાને સાથે રાખીને ચાલો, પછી તે સંજય જોષી હોય કે પછી વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણ તોગડીયા હોય. તેમજ સંઘના પ્રચારકોને સન્માન આપવાની સલાહ અપાઇ છે.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભાગવત સાથેની મુલાકાત બાદ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવી નથી. સંઘના નેતાઓ સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. તેઓ સમયાંતરે સંઘના વડામથકે આશિર્વાદ લેવા માટે આવે છે અને આવતા રહેશે.

તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રાજકીય મામલાઓમાં સંઘનો કોઇ હસ્તક્ષેપ હોતો નથી અને તેઓ અહીં રાજકીય વાતો કરવા માટે આવ્યા નહોતા. પરંતુ સૂત્રોએ વહેતી કરેલી માહિતી અનુસાર આ ત્રણ કલાકની બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથો-સાથ રાજકીય મુદ્દે સારી એવી ચર્ચા કરવામાં આવી હોવાનુ ફલિત થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X