ભારત બંધ : ટોચના નેતાઓની ધરપકડ બાદ છૂટકારો

Mulayam Singh
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : કેન્દ્રની યુપીએ સરકારે રિટેલમાં એફડીઆઇને આપેલી છૂટ અને ડીઝલમાં કરેલા ભાવ વધારા સામે ભાજપની આગેવાની વળા એનડીએ દ્વારા 20 સપ્ટેમ્બર, 2012 ગુરુવારના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતુ. આ પ્રદર્શનમાં એનડીએના સાથી પક્ષો સહિત સપા અને અન્ય પક્ષો પણ જોડાયા હતા. આ પ્રદર્શનમાં ભાગ લેનારા અગ્રણી પક્ષના ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ તેમને છોડી પણ મૂકવામાં આવ્યા હતા.

બિહારના પાટનગર પટનામાં વિરોધ પ્રદર્શન કરતા અને વડા પ્રધાન મનમોહન સિંહ સામે સૂત્રોચ્ચાર કરતા રાજ્ય સભામાં વિરોધ પક્ષના ઉપનેતા રવિશંકર પ્રસાદ અને બિહાર ભાજપના અગ્રણી નેતા સી પી ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી.

રાજધાની દિલ્હીમાં પણ સપાના વડા મુલાયમ સિંહ યાદવની પણ તેમના પક્ષના અન્ય નેતાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ભારત બંધમાં ભાગ લેતા યુપીએની ચિંતા વધી છે.

આ ઉપરાંત ભારત બંધમાં સીપીઆઇ(એમ) નેતા સીતારામ યેચૂરી, ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવે ગૌડા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાની પણ વિરોધ પ્રદર્શન કરતા સમયે ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X