કોંગ્રેસની ભારત જોડો યાત્રા 2 ઓક્ટોબરથી થશે શરુ, 12 રાજ્યોમાંથી પસાર થશે
કોંગ્રેસ જનતા સાથે પોતાનો સંપર્ક વધારવા માટે 2 ઓક્ટોબરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરુ કરી રહી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ જનતા સાથે પોતાનો સંપર્ક વધારવા માટે 2 ઓક્ટોબરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરુ કરી રહી છે. આના બહાને પાર્ટી માત્ર સમાન વિચારધારાવાળા પક્ષોને જ સાધવા નથી માંગતી પરંતુ સામાજિક અને બિનરાજકીય સંસ્થાઓને પણ આના ભાગીદાર બનાવવા માંગે છે. રાહુલ ગાંધી યાત્રાની શરુઆત કરશે. ભારત જોડો યાત્રા લગભગ સાડા પાંચ મહિનામાં કાશ્મીર પહોંચશે.

3500 કિલોમીટરની યાત્રા 10થી 12 રાજ્યોમાંથી પસાર થશે. આ દરમિયાન વરિષ્ઠ નેતા વાહનોથી ચાલશે. કોંગ્રેસ પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે પદયાત્રા કાઢી રહી છે. યાત્રા દરમિયાન નેતાઓ વિવિધ સ્થળોએ જાહેર સભાઓ અને રેલીઓ કરશે. કોંગ્રેસને આંધ્રપ્રદેશના રાજશેખર રેડ્ડી, દિગ્વિજય સિંહની નર્મદા યાત્રા અને પૂર્વ પીએમ ચંદ્રશેખરની કન્યાકુમારીથી દિલ્હીની યાત્રાથી પ્રેરણા મળી.
કોંગ્રેસમાં લાંબા સમયથી અંગ્રેજીનું વર્ચસ્વ છે. ઉદયપુર ચિંતન શિબિરમાં હિન્દીના મહત્વને સમજીને કોંગ્રેસે પહેલીવાર હિન્દીમાં ઘોષણાપત્ર બહાર પાડ્યું. પાર્ટીના એક નેતાનું કહેવું છે કે દેશમાં હિન્દી રાજ્યોમાં લગભગ 250 સીટો છે, જ્યાં ભાજપ સાથે સીધી લડાઈ છે.












Click it and Unblock the Notifications
