BHUના વૈજ્ઞાનિકનો દાવો, આવતા 3 મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર પરંતુ નહિ હશે ઓછી ઘાતક
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય(BHU)ના પ્રોફેસરે દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેર આવતા ત્રણ મહિનાાં ગમે ત્યારે આવી શકે છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનુ જોખમ સતત મંડરાઈ રહ્યુ છે એક્સપર્ટ હવે ત્રીજી લહેર આવવાની વાત સપ્ટેમ્બરના મહિનામાં કહી રહ્યા છે પરંતુ આ દરમિયાન બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય(BHU)ના પ્રોફેસરે દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેર આવતા ત્રણ મહિનાાં ગમે ત્યારે આવી શકે છે. જો કે તેમણે એ જરૂર કહ્યુ કે ત્રીજી લહેર એટલી ઘાતક નહિ હોય.

ત્રીજી લહેરમાં બાળકો હશે વધુ સંક્રમિત
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જીવ વિજ્ઞાનના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેર ગઈ લહેરની સરખામણીમાં ઓછી ઘાતક હશે. સાથે જ આ લહેર એ લોકોને વધુ પ્રભાવિત નહિ કરે જે વેક્સીન લઈ ચૂક્યા છે અથવા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જો કે જ્ઞાનેશ્વર ચૌબેએ એ જરુર કહ્યુ કે ત્રીજી લહેરમાં બાળકો સલામત નહિ હોય, તેમના પર સંક્રમણનુ જોખમ સૌથી વધુ છે. ચૌબેએ કહ્યુ કે બાળકો કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંરક્ષિત સમૂહ અંતર્ગત આવશે.
ત્રીજી લહેર સામે વેક્સીનેશન સૌથી મોટુ હથિયાર
પ્રોફેસર ચૌબેએ કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે વેક્સીનેશન સૌથી મોટુ હથિયાર છે. તેમણે કહ્યુ, 'દર ત્રણ મહિને એંટીબૉડીનુ સ્તર ઘટે છે માટે ત્રીજી લહેરની સંભાવના છે. જો આવતા ત્રણ મહિનામાં એંટીબૉડીનુ સ્તર ઘટે તો ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ રસીકરણ અભિયાનથી વાયરસ સામે લડાઈમાં મદદ મળશે. જો આપણી રોગ પ્રતિકારક ક્ષમતા 70 ટકાથી વધુ હોય તો તે સમૂહ પર કોવિડ-19નો પ્રભાવ ઓછો થશે અને ધીમે-ધીમે તેની આવૃત્તિ ઘટવા લાગશે. આપણે એ જ જોવાનુ છે.'
મૃત્યુ દર પર કાબુ મેળવવો જ કોરોનાથી જીત
ચૌબેએ આગળ કહ્યુ કે વાયરસને રોકી ન શકાય પરંતુ મૃત્યુદરને ઘટાડી શકાય છે. તેમણે કહ્યુ કે, 'સમયે-સમયે કોરોના ચરમ પર હશે પરંતુ પછી ઘટી જશે. એક વાર એંટીબૉડીનુ સ્તર ઘટી જવા પર કોવિડ-19ની સંભાવના વધી જશે. તેમ છતાં સંરક્ષિત સમૂહના લોકો માટે, મૃત્યુદર ઘણો ઓછો છે.' તેમણે કહ્યુ કે મૃત્યુ દરને ઓછો રાખવો જ કોરોના સામે જીત છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,404 નવા કેસ સામે આવ્યા છે અને 339 લોકોના મોત થયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં નવા કોવિડ-19 કેસોમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
