For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ-અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે થઈ ભીષણ ટક્કર, 4 લોકોના ઘટના સ્થળે મોત

મંગળવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

Mumbai-Ahmedabad Highway Accident: મહારાષ્ટ્ર્ના પાલઘર જિલ્લાથી એક દર્દનાક દૂર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં મંગળવારે સવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક કાર અને લક્ઝરી બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ ગઈ. આ દૂર્ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

accident

દૂર્ઘટનાની સૂચના મળતા જ પાલઘર પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લોકોની મદદથી બધા ઘાયલોને ઈલાજ માટે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ચારેય મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, આ અકસ્માત પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયો હતો.

પાલઘર પોલીસના જણાવ્યા મુજબ કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને લક્ઝરી બસ સાથે અથડાઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથે જ ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

English summary
Big collision between a car and bus on Mumbai-Ahmedabad highway, 4 people died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X