Bihar election 2025 : બિહારમાં હાલની સ્થિતીએ કોનું પલ્લુ ભારે? જાણો લેટેસ્ટ સર્વે
Bihar election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા જાહેર થયેલા એક મોટા ઓપિનિયન પોલ (Opinion Poll) એ રાજ્યના રાજકીય ગલિયારામાં ભારે ચહલપહલ મચાવી દીધી છે.
આ સર્વેમાં ભલે NDA ગઠબંધન (NDA Alliance) ને થોડી સરસાઈ મળી હોય પરંતુ મહાગઠબંધન (Mahagathbandhan) પણ પાછળ નથી. આ દરમિયાન પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ (Jansuraj) ધીમે ધીમે એક ત્રીજા વિકલ્પ (Third Option) તરીકે ઉભરી રહી છે.

આ ઓપિનિયન પોલ સ્પષ્ટ સંકેત આપે છે કે જનતા વચ્ચે નીતિશ કુમારની (Nitish Kumar) પકડ હજી પણ મજબૂત છે. ચૂંટણી પહેલાના આ સર્વેમાં સૌથી મોટો સવાલ એ હતો કે જો NDA ફરી સત્તામાં આવે તો શું નીતિશ કુમાર (Nitish Kumar) જ મુખ્યમંત્રી બનશે?
63% લોકોનું માનવું છે કે હા, નીતિશ કુમાર જ CM બનશે. 27.7% લોકોનું કહેવું છે કે NDA તેમને CM નહીં બનાવે. 8.9% લોકોએ આ વિશે કોઈ અભિપ્રાય આપ્યો નહીં. આ આંકડા દર્શાવે છે કે બિહારની જનતા આજે પણ નીતિશ કુમારને એક સ્વીકાર્ય નેતા માને છે.
જ્યારે જનતાને પૂછવામાં આવ્યું કે બિહાર ચૂંટણી 2025 (Bihar Election 2025) ની રેસમાં કોણ આગળ છે, ત્યારે રસપ્રદ પરિણામો સામે આવ્યા. 13.6% લોકોએ NDAની જીતનું અનુમાન લગાવ્યું. 10% લોકોએ વિપક્ષ (મહાગઠબંધન)ના પક્ષમાં મત આપ્યો. સૌથી મહત્વની વાત એ છે કે 21.5% લોકોનું માનવું છે કે આ વખતે કોઈ અન્ય વિકલ્પ (Other Option) સત્તામાં આવી શકે છે.
અહીં એક સવાલ એ પણ હતો કે પ્રશાંત કિશોરે NDA નેતાઓ પર કરેલા ભ્રષ્ટાચારના આરોપોથી કોને સૌથી વધુ રાજકીય ફાયદો (Political Benefit) થશે? 33.6% લોકોએ મહાગઠબંધનને ફાયદો થવાની વાત કહી. 22.4% લોકોએ જનસુરાજને લાભ મળવાની શક્યતા દર્શાવી. NDAને 21.9% લોકોએ પસંદ કર્યુ છે.
આ ડેટા સૂચવે છે કે પ્રશાંત કિશોરનો (Prashant Kishor) પ્રભાવ મહાગઠબંધન અને જનસુરાજ બંનેને નવી ઊર્જા આપી રહ્યો છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
