Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bihar election 2025 : બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી 6 હત્યાના આરોપી, પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો

Bihar election 2025 : જન સ્વરાજ અભિયાનના સૂત્રધાર પ્રશાંત કિશોરે બિહારની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. સોમવારે પટનામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે રાજ્યના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી અને મંત્રી અશોક ચૌધરી પર ગંભીર આરોપો લગાવ્યા.

તેમણે દાવો કર્યો છે કે સમ્રાટ ચૌધરી માત્ર રાજકીય વ્યક્તિ જ નહીં પરંતુ હત્યા અને ચકચાર મચાવનારા શિલ્પી-ગૌતમ કેસ જેવા મામલાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે.

Prashant Kishor

પ્રશાંત કિશોરે દાવો કર્યો કે ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી 6 લોકોની હત્યાના આરોપી છે. તેમણે તારાપુર કેસ નંબર 44/1995નો હવાલો આપ્યો અને કહ્યું કે આ અંગે સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો ઉપલબ્ધ છે.

PKના મતે સમ્રાટ ચૌધરીએ સગીર હોવાનો હવાલો આપીને જેલમાંથી રાહત મેળવી હતી, પરંતુ 2020ના ચૂંટણી સોગંદનામા મુજબ તે સમયે તેમની ઉંમર 26 વર્ષ હોવી જોઈતી હતી. પ્રશાંત કિશોરે આ સમગ્ર કથાને સંદિગ્ધ ગણાવી છે.

પીકેએ સ્પષ્ટ માંગ કરી છે કે જો સમ્રાટ ચૌધરીની ધરપકડ ન થાય તો બિહારમાં હત્યાના અન્ય તમામ આરોપીઓને પણ જેલમાંથી મુક્ત કરી દેવા જોઈએ. તેમણે ધમકી આપી છે કે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો તેઓ કોર્ટનો દરવાજો ખટખટાવશે.

પ્રશાંત કિશોરે 1999ના ચકચારભર્યા શિલ્પી-ગૌતમ બળાત્કાર અને હત્યા કેસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે આ મામલામાં પણ સમ્રાટ ચૌધરીનું નામ હતું.

બીજી તરફ ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીએ પ્રશાંત કિશોરના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, કોર્ટે મને 1997-98માં જ નિર્દોષ જાહેર કરી દીધો હતો. પ્રશાંત કિશોર પાસે કોઈ મુદ્દો નથી, એટલે તેઓ ધ્યાન ખેંચવા માટેની રાજનીતિ કરી રહ્યા છે. હું પુરાવાઓ સાથે નિર્દોષ સાબિત થઈ ચૂક્યો છું.

પ્રશાંત કિશોરે વધુ એક મોટો દાવો કર્યો કે સમ્રાટ ચૌધરીનું અસલી નામ રાકેશ કુમાર હતું. તેમણે આરોપ લગાવ્યો કે ચૌધરી નામ બદલવાના માસ્ટર છે અને તેઓ કોંગ્રેસ નેતા સદાનંદ સિંહની હત્યા કેસમાં પણ આરોપી હતા. તેમણે નકલી વય પ્રમાણપત્ર બનાવીને પોતાને સગીર જાહેર કરીને જેલમાંથી મુક્તિ મેળવી હોવાનો પણ દાવો કર્યો.

શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવતા PKએ કહ્યું કે 2010માં ચૌધરીએ પોતાને સાતમી પાસ ગણાવ્યા હતા અને હવે તેઓ મેટ્રિક પાસ હોવાનું કહે છે. પ્રશાંત કિશોરે સવાલ કર્યો કે તઓ જણાવે કે ક્યારે મેટ્રિક પાસ કર્યું?

પ્રશાંત કિશોરની આ પ્રેસ કોન્ફરન્સ બાદ બિહારના રાજકારણમાં જબરદસ્ત હલચલ મચી ગઈ છે. જ્યાં સમ્રાટ ચૌધરી આરોપોને નકારી રહ્યા છે, ત્યાં PK દસ્તાવેજો અને જૂના કેસોનો હવાલો આપીને સરકાર પર સતત દબાણ વધારી રહ્યા છે.

શિલ્પી-ગૌતમ કેસનું નામ ફરી ચર્ચામાં આવતા લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું સત્તામાં બેઠેલા નેતાઓ સામે નિષ્પક્ષ કાર્યવાહી થશે કે મામલો ફરી દબાવી દેવામાં આવશે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X