Bihar: નીતીશ સરકારને હાઇકોર્ટથી ઝટકો, જાતિગત વસ્તી ગણતરી પર લગાવી રોક
પટના: બિહારની નીતીશ કુમારની સરકાર દ્વારા રાજ્યમાં કરવામાં આવનાર જાતિ આધારિત વસ્તી ગણતરી પર હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. નીતીશ સરકારને ઝાટકો આપતા કોર્ટે જાતિ આધારિત વસ્તી ગણતરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે ગુરુવારે આ આદેશ આપ્યો છે.
મંગળવાર અને બુધવારે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચે હાઈકોર્ટમાંથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરતી તમામ અરજીઓ પર સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આવી સ્થિતિમાં સરકારને ઝટકો આપતાં હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે જાતિ આધારિત વસ્તી ગણતરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈએ થશે. તમને જણાવી દઈએ કે બિહારમાં બીજા અને અંતિમ રાઉન્ડ અને જાતિઆ આધારિત આધારિત ગણતરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોર્ટનો આ નિર્ણય મોટો ફટકો છે.
સુનાવણી દરમિયાન, કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે, સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે કેટલાક પસંદગીના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે મોટાભાગના લોકો તેમની જાતિ જણાવવામાં અચકાતા નથી. લોકો પોતાની સ્વતંત્ર ઇચ્છાના તમામ 17 પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે.
સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે ગણતરી માટે નક્કી કરાયેલા 17 પ્રશ્નોના કારણે કોઈની ગોપનીયતાનો ભંગ થઈ રહ્યો નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારને ગણતરી કરવાનો અધિકાર છે.
આદેશ પર ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનું નિવેદન
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું, "જાતિ આધારિત વસ્તીગણતરી લોકોના કલ્યાણ માટે છે, અમે ગરીબી, પછાતપણાને નાબૂદ કરવા માંગીએ છીએ. એક વાત સ્પષ્ટ છે, તે થવાનું જ છે."
પૂર્વ ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદનું નિવેદન
બીજી તરફ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે કહ્યું કે બિહાર સરકારે આ મુદ્દાને યોગ્ય રીતે હાઈકોર્ટ સમક્ષ મૂક્યો ન હતો, તેથી આવો નિર્ણય આવ્યો છે. હું આ મહાગઠબંધન સરકારને દોષ આપું છું કે જાતિ આધારિત વસ્તીગણતરી અંગેનો તેમનો (બિહાર સરકાર)નો ઈરાદો ખોટો હતો. એનડીએ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
