Bihar: નીતીશ સરકારને હાઇકોર્ટથી ઝટકો, જાતિગત વસ્તી ગણતરી પર લગાવી રોક
પટના: બિહારની નીતીશ કુમારની સરકાર દ્વારા રાજ્યમાં કરવામાં આવનાર જાતિ આધારિત વસ્તી ગણતરી પર હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. નીતીશ સરકારને ઝાટકો આપતા કોર્ટે જાતિ આધારિત વસ્તી ગણતરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે ગુરુવારે આ આદેશ આપ્યો છે.
મંગળવાર અને બુધવારે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચે હાઈકોર્ટમાંથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરતી તમામ અરજીઓ પર સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આવી સ્થિતિમાં સરકારને ઝટકો આપતાં હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે જાતિ આધારિત વસ્તી ગણતરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈએ થશે. તમને જણાવી દઈએ કે બિહારમાં બીજા અને અંતિમ રાઉન્ડ અને જાતિઆ આધારિત આધારિત ગણતરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોર્ટનો આ નિર્ણય મોટો ફટકો છે.
સુનાવણી દરમિયાન, કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે, સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે કેટલાક પસંદગીના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે મોટાભાગના લોકો તેમની જાતિ જણાવવામાં અચકાતા નથી. લોકો પોતાની સ્વતંત્ર ઇચ્છાના તમામ 17 પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે.
સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે ગણતરી માટે નક્કી કરાયેલા 17 પ્રશ્નોના કારણે કોઈની ગોપનીયતાનો ભંગ થઈ રહ્યો નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારને ગણતરી કરવાનો અધિકાર છે.
આદેશ પર ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનું નિવેદન
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું, "જાતિ આધારિત વસ્તીગણતરી લોકોના કલ્યાણ માટે છે, અમે ગરીબી, પછાતપણાને નાબૂદ કરવા માંગીએ છીએ. એક વાત સ્પષ્ટ છે, તે થવાનું જ છે."
પૂર્વ ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદનું નિવેદન
બીજી તરફ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે કહ્યું કે બિહાર સરકારે આ મુદ્દાને યોગ્ય રીતે હાઈકોર્ટ સમક્ષ મૂક્યો ન હતો, તેથી આવો નિર્ણય આવ્યો છે. હું આ મહાગઠબંધન સરકારને દોષ આપું છું કે જાતિ આધારિત વસ્તીગણતરી અંગેનો તેમનો (બિહાર સરકાર)નો ઈરાદો ખોટો હતો. એનડીએ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
