Bihar : નીતિશ કુમારના મંત્રીમંડળનો વિસ્તાર, બીજેપીના 12 સહિત 21 મંત્રીઓએ શપથ લીધા
એનડીએ ગઠબંધનમાં સામેલ થયેલા નીતિશ કુમારની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. નવા મંત્રીમંડળમાં 21 મંત્રીઓએ શપથ લીધા છે.
નીતિશ કુમાર સરકારના કેબિનેટ વિસ્તરણમાં કુલ 21 મંત્રીઓ શપથ લીધા છે.આ લિસ્ટમાં ભાજપના ક્વોટાના 12 અને જેડીયુના 9 મંત્રીઓએ શપથ લીધા. આમાં 6 પ્રથમ વખત મંત્રી બન્યા છે.

કેબિનેટ વિસ્તરણમાં JDU ક્વોટાના તમામ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. સંજય ઝાની જગ્યાએ માત્ર મહેશ્વર હજારી આવ્યા છે.
જણાવી દઈએ કે આરજેડી સાથે સંબંધો તોડ્યા બાદ 28 જાન્યુઆરીએ નીતિશે બે ડેપ્યુટી સીએમ સહિત 8 મંત્રીઓ સાથે સીએમ પદના શપથ લીધા હતા.
નીતિશ કુમાર કેબિનેટમાં ભાજપના ક્વોટામાંથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીએ શપથ લીધા હતા. આ પછી પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ શપથ લીધા. બીજેપી ક્વોટામાંથી નીરજ કુમાર બબલુએ મંત્રી તરીકે શપથ લીધા છે.
નીરજ કુમાર બિહાર સરકારના વન અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે. રાજપૂત સમાજમાંથી આવે છે. શપથ લીધા બાદ નીરજ બબલુએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
JDU ક્વોટાના અશોક ચૌધરીએ મંત્રી તરીકે શપથ લીધા. અશોક ચૌધરી નીતિશ કુમારના નજીકના મિત્રોમાંથી એક છે. આ પછી લેશી સિંહે JDU ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. મદન સાહનીએ જેડીયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. નીતિશ મિશ્રાએ ભાજપના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. નીતિશ મિશ્રાએ મૈથિલી ભાષામાં શપથ લીધા.
નીતિન નવીને ભાજપના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. તેઓ અગાઉ માર્ગ નિર્માણ મંત્રી રહી ચૂક્યા છે. દિલીપ જયસ્વાલે ભાજપના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લીધા. આ પછી મહેશ્વર હજારીએ JDU ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. હજારી જેડીયુના મજબૂત નેતા છે અને સમસ્તીપુરના કલ્યાણપુરથી ધારાસભ્ય છે.












Click it and Unblock the Notifications
