Bihar Politics : એકસાથે આવવા માટે તમામે દર્શાવી સહમતિ, દિલ્હી યાત્રા બાદ બોલ્યા નીતિશ કુમાર
Bihar Politics : આગામી વર્ષ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેની તૈયારીઓ અત્યારથી શરુ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિપક્ષો એક થઇ રહ્યા હોત તેમ જણાઇ રહ્યું છે. આ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાની દિલ્હી યાત્રા કરીને ગુરુવારની મોડી રાત્રે બિહાર પરત પહોંચ્યા હતા.
પટના આવ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં બધા સાથે વાતચીત થઈ છે. આ સાથે તમામે એક થવાનો નિર્ણય લીધો છે. દરેક વ્યક્તિ એક જ સુરમાં બોલી રહ્યા છે, જે સારી વાત છે.

એરપોર્ટ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા નીતિશે જણાવ્યું હતું કે, વિપક્ષને એક કરવાના પ્રયાસની વાત બધાએ કરી છે. તે સારી વાત છે. આ અંગે વધુ બેઠક યોજીને નિર્ણય લેવામાં આવશે.
જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારને ભાજપની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપવાનું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોણ શું પ્રશ્ન ઉઠાવે છે અને શું બોલે છે, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી.
કેન્દ્ર સરકાર પર ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે, શું તેઓ કોઈ કામ કરે છે? મુખ્યમંત્રીએ બુધવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. આવા દિવસે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને વિપક્ષી એકતા પર પણ વાત કરી હતી.












Click it and Unblock the Notifications
