Bihar: ગોપાલગંજમાં RJD નેતાની ગોળી મારી કરાઇ હત્યા, તેજસ્વીના નજીકના હતા
બિહારના ગોપાલગંજમાં આરજેડી નેતા રામ ઈકબાલ યાદવની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી નાખી. રામ ઈકબાલ યાદવ તેજસ્વી યાદવના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રામ ઈકબાલ યાદવ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હ
બિહારના ગોપાલગંજમાં આરજેડી નેતા રામ ઈકબાલ યાદવની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી નાખી. રામ ઈકબાલ યાદવ તેજસ્વી યાદવના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રામ ઈકબાલ યાદવ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો.

આ ઘટના મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજઘાટ ગામમાં સ્થિત આરજેડી નેતાના ઘર પાસે બની હતી. બાઇક પર સવાર અજાણ્યા બદમાશોએ ગોળીબાર કરીને તેમની હત્યા કરી નાખી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડૉ.રામ ઈકબાલ યાદવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ડોક્ટર રામ ઈકબાલ યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
રામ ઈકબાલ યાદવ સારણ વિભાગની વિદ્યાર્થી પાંખના પ્રમુખ હતા. તેઓ તેજસ્વી યાદવના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. સંબંધીઓએ જણાવ્યું કે ડો. રામ ઈકબાલ યાદવ ગઈકાલે રાત્રે બાઇક પર લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન પહેલાથી જ ઓચિંતો ઘૂસી ગયેલા ગુનેગારોએ ઘર નજીક ધસી આવી ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ તેઓ હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ પોલીસે ગુનેગારોને પકડવા માટે દરોડા શરૂ કર્યા છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
