Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હૈદ્રાબાદ બોમ્બ બ્લાસ્ટ: ભાજપે હૈદ્રાબાદમાં આપ્યું બંધનું એલાન

rajnath-singh-bjp
હૈદ્રાબાદ, 22 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીએ હૈદ્રાબાદમાં ગુરૂવારે મોડી રાત્રે થયેલા બે વિસ્ફોટોના વિરોધમાં શુક્રવારે આંધ્ર પ્રદેશનું આહવન કર્યું છે. વિસ્ફોટમાં 14 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 100થી વધુ લોકો ધાયલ થયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ રાજ્યના બધા લોકોને અપીલ કરી છે કે તે વિસ્ફોટોના વિરોધમાં પોતાની ઇચ્છાથી બંધમાં ભાગ લે અને પીડીત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે.

જી કિશન રેડ્ડીએ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીને ચેતાવણી મળી હોવાછતાં રાજ્ય સરકાર વિસ્ફોટો રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં નિષ્ફળ રહી છે. તેમને સરકાર પાસે આતંકવાદી વિરૂદ્ધ કડકાઇપૂર્વક વર્તવાની માંગણી કરી છે. આંધ્ર પ્રદેશમાં શુક્રવારે ભાજપના બંધ અને જુમ્માની નમાજને જોતાં પોલીસે હૈદ્રાબાદ તથા અન્ય શહેરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દિધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ભાજપે બોમ્બ વિસ્ફોટની ગહન તપાસ કરવાની માંગણી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકાર આ કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરાવશે. હું આ ધટનામાં ભોગ બનેલા લોકો માટે દુખ પ્રગટ કરું છું અને ભગવાનને પ્રાથના કરું છે કે તે મૃતકોના પરિવાજનોને આ દુખ સામે લડવા માટે શક્તિ પ્રદાન કરે.

તો બીજી તરફ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે સરકાર તરફથી 50-50 હજાર અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X