નૂપુર શર્માને ભાજપ બનાવી શકે છે દિલ્હી CMના ઉમેદવાર : અસદુદ્દીન ઓવૈસી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આવતા 6-7 મહિનામાં નુપુર શર્માને મોટી નેતા બનાવશે.
નવી દિલ્હી, 19 જૂન : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આવતા 6-7 મહિનામાં નુપુર શર્માને મોટી નેતા બનાવશે. એવી પણ શક્યતા છે કે, નુપુર શર્માને દિલ્હીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે કારણ કે પાર્ટી મુસ્લિમોનું અપમાન કરનારાઓને મોટું પદ આપે છે.

ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભાજપ નુપુર શર્માને બચાવી રહી છે, અમે વડાપ્રધાન મોદીને અપીલ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ એક શબ્દ પણ બોલી રહ્યા નથી. નુપુર શર્મા વિરુદ્ધ પહેલી FIR હૈદરાબાદમાં નોંધવામાં આવી હતી. હું પોલીસ વડા અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે, પોલીસને દિલ્હી મોકલો અને નૂપુર શર્માને અહીં લાવો. તમારે તેમને અહીં લાવવા જોઈએ. એફઆઈઆરથી શું થશે, કંઈક કરો, કમસેકમ એમ કહો કે, તમે દિલ્હી જઈને તેમને લઈ આવશો.
ઓવૈસીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વડાપ્રધાન મોદી, યોગી આદિત્યનાથ, મમતા બેનર્જી વિરુદ્ધ કંઈ પણ બોલે છે, તો તેની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ મોહમ્મદ સાહેબ વિરુદ્ધ કંઈ બોલે છે, તો કોઈની ધરપકડ થતી નથી. વડાપ્રધાન મોદીના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, અબ્બાસ ભાઈને ફોન કરો અને તેમને ઓવૈસીનું ભાષણ સાંભળવા કહો, પછી તેમને પૂછો કે, હું જે બોલી રહ્યો છું તે ખોટું છે કે સાચું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની માતાના 100માં જન્મદિવસ પર PM મોદીએ એક ઈમોશનલ બ્લોગ લખ્યો છે, જેમાં તેમણે તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો છે.
જે રીતે ઉત્તર પ્રદેશ સરકાર બુલડોઝર અભિયાન ચલાવી રહી છે, તેના પર ઓવૈસીએ જણાવ્યું હતું કે, અલ્હાબાદમાં આફરીન ફાતિમાનું ઘર તોડવામાં આવ્યું, તમે આ ઘર કેમ તોડ્યું. કારણ કે તેના પિતાએ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આખરે ન્યાય કોણ નક્કી કરશે? કોર્ટ નક્કી કરશે કે તેણે પ્રદર્શનનું આયોજન કર્યું હતું કે નહીં. કોર્ટ આમાં ન્યાય કરશે, કોર્ટ તેની પત્ની અને બાળકોને સજા નહીં આપે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
