પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને ગણાવ્યો 'દેશભક્ત', તો ભાજપે કહ્યું માફી માંગો!
પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને ગણાવ્યો 'દેશભક્ત', તો ભાજપે કહ્યું માફી માંગો!
નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર અને માલેગાંવ બ્લાસ્ટ મામલાના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. તેમના આ નિવેદન બાદ રાજકીય બબાલ મચી છે. જ્યારે ભાજપે આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેઓ આ નિવેદનની નિંદા કરે છે. ભાજપ ક્યારેય ગોડસેને દેશભક્ત નથી માનતું. તેમણે પોતાના આ નિવેદન બદલ માફી માંગવી જોઈએ.

પ્રજ્ઞાના નિવેદન બાદ ભાજપ તરફથી આ મામલે સ્પષ્ટતા આપતાં પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલ 'ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે' વાળા નિવેદનથી ભાજપ સહમત નથી અને તેની નિંદા કરે છે. આ મામલે પાર્ટી તેમની પાસેથી સ્પષ્ટતા માંગશે અને તેમને સાર્વજનિક રીતે આ નિવેદન આપવા બદલ માફી માંગવા કહેશે. સાધ્વીના આ વિવાદિત નિવેદન પર અન્ય પાર્ટીઓએ ભાજપ પર સીધો હુમલો બોલી દીધો છે.
GVL Narasimha Rao, BJP on Pragya Singh Thakur's statement "Nathuram Godse was, is & will remain a 'deshbhakt": BJP does not agree with this statement, we condemn it. Party will ask her for clarification, she should apologise publicly for this statement. pic.twitter.com/yBEs8nQoWW
— ANI (@ANI) May 16, 2019
કોંગ્રેસ તરફથી રણદીપ સિંહ સુરજેવાલાએ આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે 'ગોડસેના ઉત્તરાધિકારીઓ દ્વારા ભારતની આત્મા પર હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતા રાષ્ટ્રપિતાના હત્યારાને એક સાચા રાષ્ટ્રવાદીના રૂપમાં વર્ણિત કરી રહ્યા છે. જ્યારે દેશ માટે જાન આપનાર હેમંત કરકરે જેવા લોકોને દેશદ્રોહી ગણાવે છે. હવે સ્પષ્ટ છે, ભાજપાઈ ગોડસેના વંશજ છે. ભાજપાઈ ગોડસેને દેશભક્ત અને હેમંત કરકરેને દેશદ્રોહી ગણાવે છે. હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન જ ભાજપાઈ ડીએનએ છે. મોદી-શાહની પસંદિત પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર ગાંધીજીના હત્યારામ નથુરામ ગોડસેને સાચો દેશભક્ત ગણાવી આખા દેશનું અપમાન કર્યું છે.'
मोदी-अमित शाह जी की चहेती भाजपा नेत्री, प्रज्ञा ठाकुर ने एक बार फिर गांधी जी के हत्यारे, नाथूराम गोडसे को ‘सच्चा देशभक्त’ बता पूरे देश का अपमान किया है।
— Randeep Singh Surjewala (@rssurjewala) May 16, 2019
यह भारत के गांधीवादी मूल सिद्धांतों का तिरस्कार करने का घिनौना भाजपाई षडयंत्र है।
हमारा बयान:- pic.twitter.com/wolOD9BmtW
જ્યારે નેશનલ કોન્ફ્રેન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, જો રાષ્ટ્રપિતાનો હત્યારો દેશભક્ત હતો તો શું મહાત્મા ગાંધી દેશવિરોધી હતા? જ્યારે પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણી પર ભોપાલથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું કે 'મોદી જી, અમિત શાહજી અને રાજ્ય ભાજપે આ નિવેદન બદલ દેશની માફી માંગવી જોઈએ. હું આ નિવેદનની નિંદા કરું છું, નથુરામ ગોડસે એક હત્યારો હતો, તેની મહિમા કરવી દેશભક્તિ નહી, દેશદ્રોહ છે.'
આ પણ વાંચો- સાધ્વી પ્રજ્ઞાનું વિવાદસ્પદ નિવેદન, નાથુરામ ગોડસેને ગણાવ્યા 'દેશભક્ત'
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
