ભાજપ હિન્દુ ધર્મને સમજતો નથી, મા દુર્ગા માટે તેને આદર નથી-TMC
પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. TMC એ દુર્ગા પૂજા સમિતિઓને 50 હજારનું અનુદાન આપવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી પહેલા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. TMC એ દુર્ગા પૂજા સમિતિઓને 50 હજારનું અનુદાન આપવાની જાહેરાત કરી છે, જેને ભાજપે ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે અને ચૂંટણી પંચ પાસે મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પગલાં લેવાની માંગ કરી છે. જે બાદ ટીએમસીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. TMC એ દાવો કર્યો છે કે ભાજપ હિન્દુત્વને સમજતી નથી અને મા દુર્ગા માટે આદર નથી.

બુધવારે ટીએમસીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ટીએમસીએ લખ્યું, હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોના સ્વયભૂ રક્ષક હિન્દુત્વને સમજી શકતા નથી, હિન્દુ તહેવારોનું સન્માન કરવાનું ભૂલી જાય છે! હવે મા દુર્ગા અને બંગાળની પરંપરાઓ માટે તેમનો ઓછો આદર ખુલ્લો પડી ગયો છે!
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દરેક દુર્ગા પૂજા સમિતિને 50,000 રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત પર ભાજપ દ્વારા વિરોધ દાખલ કરવામાં આવ્યો છે. પેટાચૂંટણી પહેલા આ જાહેરાત અંગે પાર્ટીએ સવાલ ઉભા કર્યા છે. સાથે જ મમતા બેનર્જીએ પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, આ કોઈ નવી જાહેરાત નથી, ગયા વર્ષની જેમ જ છે.
ગયા રવિવારે ટીએમસીએ જાહેરાત કરી હતી કે, મમતા બેનર્જી 30 સપ્ટેમ્બરે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નંદીગ્રામ બેઠક પરથી ભાજપના સુવેન્દુ અધિકારી સામે હાર્યા બાદ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માટે તેમણે પેટા ચૂંટણી જીતવી પડશે. બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ પ્રતાપ બેનર્જી અને બાલુરઘાટના સાંસદ સુકાંત મજુમદાર સહિત ભાજપનું પ્રતિનિધિમંડળ મંગળવારે રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું અને બેનર્જી સામે પગલાં લેવાની માંગ કરી હતી.
ભાજપના પ્રતિનિધિ મંડળે કહ્યું કે, અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે ભવાનીપુર પેટાચૂંટણી માટે ટીએમસી ઉમેદવાર મમતા બેનર્જી સામે કાર્યવાહી કરે. તેમને પેટાચૂંટણીમાં ભાગ લેતા રોકવા જોઈએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી









Click it and Unblock the Notifications
