Karnataka Election : બીજેપી ધારાસભ્યએ યુપીનું એન્કાઉન્ટર મોડલ લાગુ કરવાની વાત કરીને વિવાદ છેડ્યો
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. હવે બીજેપીના એક ધારાસભ્યએ યુપીનું એન્કાઉન્ટર મોડલ લાગુ કરવાની વાત કરી છે. આ નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને બીજેપી આરોપ-પ્રત્યારોપ કરીને આક્રમક પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે બીજેપી ધારાસભ્યએ વિવાદ છેડ્યો છે. બીજેપી ધારાસભ્ય બસવાનગૌડા પાટીલ યતનાલે ચૂંટણી રેલીમાં યુપી મોડલ લાગુ કરવાનું નિવેદન આપ્યુ છે.

ચૂંટણી રેલીમાં જનતાને સંબોધતા ધારાસભ્ય બસવાનગૌડાએ કહ્યું કે, અમે કર્ણાટકમાં યોગી મોડલ લાગુ કરીશું અને જે ભારત વિરુદ્ધ બોલશે અને કામ કરશે તેને એન્કાઉન્ટરનો સામનો કરવો પડશે. બીજેપી ધારાસભ્યએ કર્ણાટકમાં યોગી મોડલ ઓફ ગવર્નન્સની વાત કરીને કર્ણાટકમાં નવો વિવાદ સર્જ્યો છે.
જો કે આ પહેલો વિવાદ નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહીને વિવાદ સર્જ્યો હતો. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ મતગણતરી થશે.
ખડગેના નિવેદનનો જવાબ આપતા બીજેપી ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો સોનિયા ગાંધીને વિષકન્યા કહીને તેમનું અપમાન કર્યું હતું. બે દિવસ પહેલા ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ધારાસભ્ય પુત્ર પ્રિયંક ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયોગ્ય પુત્ર કહીને વિવાદ છેડ્યો હતો.












Click it and Unblock the Notifications
