બીજેપી વિધાયકે કહ્યું, મમતા બેનર્જી શૂર્પણખા, મોદી કાપશે નાક

ઉન્નાવ રેપ કેસમાં આરોપી કુલદીપ સિંહ સેંગરના પક્ષમાં નિવેદન આપનાર બેરિયાના વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશમાં બીજેપી વિધાયક સતત વિવાદિત નિવેદનો આપી જ રહ્યા છે. ઉન્નાવ રેપ કેસમાં આરોપી કુલદીપ સિંહ સેંગરના પક્ષમાં નિવેદન આપનાર બેરિયાના વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. વિધાયક સુરેન્દ્ર સિંહએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને શૂર્પણખા નામથી સંબોધિત કરી છે. વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજેપી શાસિત રાજ્યોમાંથી બધા જ આતંકવાદી બંગાળમાં ભાગી ગયા. આવી જ હાલત રહી તો બંગાળ પણ એક દિવસ જમ્મુ કાશ્મીર બની જશે.

surendra singh

વિધાયક સુરેન્દ્ર સિંહએ બલિયામાં જિલ્લા પંચાયત કાર્યક્રમમાં મમતા બેનર્જી ને શૂર્પણખા ગણાવી કહ્યું કે તેમની નાક કાપવા માટે લક્ષ્મણ પેદા થઇ ચુક્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ મળીને શૂર્પણખા નું નાક કાપશે. એટલું જ નહીં તેમને કહ્યું કે મમતા બેનર્જી દૈત્ય સ્વભાગની મહિલા બની ગયી છે.

વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મમતા બેનર્જી શૂર્પણખાની ભૂમિકા નિભાવી રહી છે અને કોંગ્રેસ રાવણની ભૂમિકામાં છે. જેવી રીતે કાશ્મીરમાંથી હિન્દૂ ભગાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે બંગાળમાંથી પણ હિંદુઓને ભગાડી મુકવામાં આવશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પશ્ચિમ બંગાળમાં રામ રાજ્ય લાવશે અને બંગાળમાં વિભીષણનો રાજ્યાભિષેક થશે.

આપણે જણાવી દઈએ કે ઉન્નાવ જિલ્લાની બાંગરમાઉં વિધાનસભા સીટ થી બીજેપી વિધાયક અને રેપ કેસ આરોપી કુલદીપ સિંહ સેંગર કેસમાં ભારતીય જનતા પાર્ટી વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા કહેવામાં આવ્યું હતું કે 'ત્રણ બાળકોની માતા સાથે કોણ રેપ કરે? આપણે પરિણીત છે જાતે જ કહો' તેમના આવા નિવેદન પછી તેમની ચારે તરફથી નિંદા થયી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X