ભાજપા સાંસદે પોતાના જ મુખ્યમંત્રીઓને કહ્યા ભ્રષ્ટ!
ભોપાલ, 4 જૂન : મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ભાજપી સાંસદ કે ડી દેશમુખે હાલના મુખ્યમંત્રી ચૌહાણને છોડીને રાજ્યાના અત્યાર સુધીના બધા જ મુખ્યમંત્રીઓને ભ્રષ્ટ ગણાવી એક નવો જ વિવાદ છેડી દીધો છે.
કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓની સાથે સાથે ભાજપાના મુખ્યમંત્રીઓ - કૈલાશ જોશી, સુંદરલાલ પટવા, બાબૂલાલ ગૌર અને ઉમા ભારતીનું નામ લેતા દેશમુખે જણાવ્યું કે તેમણે આ તમાન નેતાઓના શાસનકાળ જોયા છે. તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર હતો અને પૈસા લઇને નોકરી આપવામાં આવીતી હતી.
દેશમુખે વધુમાં જણાવ્યું કે શીવરાજ સિંહ ચૌહાણ પૂર્વના મુખ્યમંત્રીઓ કરતા અલગ છે, તેમણે જનાતાના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. તેમના જેવો મુખ્યમંત્રી પહેલા ક્યારેય નથી થઇ ગયો.
કાર્યક્રમ સમાપ્ત થયા બાદ દેશમુખે પત્રકારોને સફાઇ આપતા જણાવ્યું કે તેમણે પોતાના પક્ષના કોઇપણ મુખ્યમંત્રીનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે જે કઇપણ કહ્યું તેનો ખોટો અર્થ નીકાળવામાં આવી રહ્યો છે.
આ પહેલા ભાજપા વિધાયક દીપક જોશીએ કર્ણાટકમાં ભાજપાને મળેલી હારને લઇને ફેસબુક પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે 'જો મધ્યપ્રદેશમાં હાલાત નહી સુધરે તો અહીં પણ કર્ણાટક જેવા હાલ થશે.'