સાક્ષી મહારાજની ધમકી કામ આવી, ઉન્નાવથી ટિકિટ મળી
ભારતીય જાણતા પાર્ટીએ લાંબા સમય પછી આખરે તેમના લોકસભા ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી છે, આ લિસ્ટમાં ઉત્તરપ્રદેશની 30 સીટો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય જાણતા પાર્ટીએ લાંબા સમય પછી આખરે તેમના લોકસભા ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં ઉત્તરપ્રદેશની 30 સીટો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. આ લિસ્ટમાં પીએમ મોદી, સ્મૃતિ ઈરાની અને રાજનાથ સિંહ સહીત ઘણા દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ લિસ્ટમાં સાક્ષી મહારાજને પણ ઉન્નાવ સીટથી ટિકિટ આપવામાં આવી છે. તેની સાથે તે બધી જ ખબરો પર વિરામ લાગી ગયું છે જેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે ભાજપ ઉન્નાવથી સાક્ષી મહારાજની ટિકિટ કાપી શકે છે.

આ પહેલા ખબર આવી હતી કે ભાજપ સાક્ષી મહારાજની ટિકિટ કાપી શકે છે. ટિકિટ કાપવા પર સાક્ષી મહારાજે અપ્રત્યક્ષ રૂપે ધમકી આપી હતી કે, જો આ સીટ પર તેમને ફરી ટિકિટ નહીં આપી તો તેનું પરિણામ પાર્ટીના પક્ષમાં સારું નહીં આવે. આપને જણાવી દઈએ કે સાક્ષી મહારાજ ચાર વાર સાંસદ રહી ચુક્યા છે.
આ પણ વાંચો: અમેઠીમાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ટક્કર જોવા મળશે
આપને જણાવી દઈએ કે સાક્ષી મહારાજે યુપી ભાજપા અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેને આ અંગે પત્ર લખીને પોતાના માટે ટિકિટ માંગી હતી. પત્રમાં તેમને સંસદીય ક્ષેત્રનું જાતીય સમીકરણ પણ જણાવ્યું હતું. તેમને ભાજપ અધ્યક્ષને કહ્યું હતું કે જો તેમને ઉન્નાવથી ટિકિટ આપવામાં આવી તો તેઓ ચારથી પાંચ લાખ વોટોથી જીતશે. તેમને કહ્યું હતું કે તેમના સિવાય ક્ષેત્રમાં કોઈ પણ પાર્ટી ઓબીસી પ્રતિનિધિત્વ નથી કરતુ. જો પાર્ટીએ તેમને ટિકિટ નહીં આપી તો તેમના પર લાગી રહેલો ઓબીસી ઉપેક્ષાનો આરોપ સાચો સાબિત થશે.
આ પણ વાંચો: ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ
સાક્ષી મહારાજે પત્રમાં લખ્યું કે જો પાર્ટી તેમને ટિકિટ આપશે તો તેઓ મહાગઠબંધનના ઉમેદવાર અરુણ કુમાર શુક્લા અને કોંગ્રેસ ઉમેદવાર અનુ ટંડન બંનેની જમાનત જપ્ત કરાવીને પાર્ટીના ચારથી પાંચ લાખ વોટોના માર્જીનથી જીતાડશે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
