મનિષ તિવારીના આરોપો પાયાવિહોણા- ભાજપ

મનિષ તિવારી દ્રારા ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ અને એક વિદેશી કંપની સાથે થયેલા કરારના મુદ્દે લગાવવામાં આરોપોને ભાજપે આધારહીન અને રાજકારણ પ્રેરિત ગણાવ્યા છે. ભાજપના પ્રવક્તા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કોંગ્રેસ એવા ગોટાળા શોધી લાવે છે જે ક્યારેય થયા નથી. આ કરારને 2010માં જ રદ કરી દેવામાં આવ્યો હતો. તેના માટે એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે તહેલકામાં છપાયેલ અહેવાલમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવવામાં આવેલા અમે ફક્ત તેમુદ્દાઓને રજૂ કરી રહ્યાં છીએ. ગુજરાતના લોકો ઇચ્છે છે કે રાજ્ય સરકાર અથવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રશ્નોની સ્પષ્ટતા કરે.
તહેલકાના અહેવાલને ટાંકતાં મનિષ તિવારીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ગેસ સારકામ યોજના માટે ઉભા કરવામાં આવેલા કોષમાં બારબાદોસ સ્થિત કંપની, જિયો ગ્લોબલની 10 ટકાની ભાગીદારી છે. આ કંપનીનું માલિકીપણુ જીન પૉલ રૉય પાસે છે.
આ ખાસ બેઝિનમાં 20 અરબ ડોલર કિંમતની ગેસના અનુમાનના આધારે આ યોજના ટેકનિકલ વિશેષજ્ઞતા લાવવા માટે જીન પૉલ રૉયને લગભગ 2,000 કરોડની ચૂકવણી કરવામાં આવી. મનિષ તિવારીએ કહ્યું હતું કે રાજ્ય સરકારને ટેક્નિકલ વિશેષજ્ઞતા માટે એક કંપની વધુ એક કંપની પેટ્રો ટેકને પણ લાવવી હતી અને તેને 8.6 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
મનિષ તિવારીએ કહ્યું હતું કે તેમની પાર્ટી તે માટે આ મુદ્દો ઉઠાવી રહી છે કારણ કે આ પ્રાકૃતિક સંસાધન સાથે જોડાયેલો મામલો છે. આ યોજનામાં મોરિશિયસ સ્થિત એક કંપનીને પાંચ ટકાની ભાગીદાર બનાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
