For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં જીત્યા હોત તો મને આશ્ચર્ય થતું : આડવાણી

|
Google Oneindia Gujarati News

lk advani
નવી દિલ્હી, 12 મે: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હાર પર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ રવિવારે કહ્યું કે પાર્ટીને જો ચૂંટણીમાં જીત મળતી તો તેમને આશ્ચર્ય થતું. તેમને પાર્ટીની હાર પર કોઇ આશ્ચર્ય નથી.

હાલમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત મળી અને ભાજપાને ગંદી હાર. જોકે આ હારને પચાવી ના શક્યા હોય તેમ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ આશ્ચર્યજનક ટિપ્પણી કરી નાખી છે. આડવાણીએ પોતાના બ્લોગ પર લખ્યું હતું કે 'કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારથી તેમને દુ:ખ છે પરંતુ તેમને આનાથી આશ્ચર્ય નથી.'

આડવાણીએ વધુમાં કહ્યું કે 'તેમને લાગે છે કે કર્ણાટકમાં આ હારથી પાર્ટીને એક મોટી શીખ મળશે. સાથે સાથે કોંગ્રેસને પણ એક શીખ મળશે.' તેમણે જણાવ્યું કે કર્ણાટક ચૂંટણીના પરિણામો બંને પાર્ટીઓને શીખ આપે છે કે સામાન્ય વ્યક્તિ ભૂલવી જોઇએ નહીં.

English summary
Karnataka loss not a surprise but a lesson to BJP, Congress : Advani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X