દિલ્હીમાં સીએમ કેજરીવાલ સામે ચૂંટણી લડશે ભાજપના સુનીલ યાદવ
દિલ્હીમાં સીએમ કેજરીવાલ સામે ચૂંટણી લડશે ભાજપના સુનીલ યાદવ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા નવી દિલ્હી સીટની થઈ રહી છે. આ સીટ પર આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા છે. સીટને લઈ ભાજપે સુનીલ યાદવના નામનું એલાન કર્યું છે. જો કે મંગળવારે એવા અહેવાલ પણ આવ્યા હતા કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ યાદવને પોતાના ઘરે બોલાવ્યા છે અને આ સીટ પર ભાજપ પોતાનો ઉમેદવાર બદલી શકે છે. પરંતુ સુનીલ યાદવ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે આ અહેવાલોનું ખંડન કર્યું.

સુનીલ યાદવે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલે સુનીલ યાદવે કહ્યું કે પોતે જ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. તેના સ્થાને અન્ય કોઈના નામનું એલાન કરાઈ રહ્યું નથી. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્યામ જાજૂએ કહ્યું કે અમે ફેસલો લીધો છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સુનીલ યાદવ જ અમારા ઉમેદવાર રહેશે. અમે આશ્વસ્ત છીએ કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરશું.
|
નવી દિલ્હી સીટ પર પાછલી ચૂંટણીમાં કોને કેટલા વોટ મળ્યા
નવી દિલ્હી સીટ પર 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે જીત હાંસલ કરી હતી. તેમણે આ સીટ પર 31583 વોટના મોટા અંતરથી જીત હાંસલ કરી હતી. અરવિંદ કેજરીવાલને 57213 અને ભાજપના ઉમેદવાર નુપુર શર્માને 25630 વોટ મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર કિરણ વાલિયાને માત્ર 4781 વોટ જ મળ્યા હતા. અગાઉ 2013ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી સીટ પર દિલ્હીના તત્કાળિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને 25864 વોટના અંતરથી હરાવ્યા હતા. જ્યારે ભાજપે તે સમયે સીટ પર વિજેન્દ્ર ગુપ્તાને ટિકિટ આપી હતી, જેમને માત્ર 17952 વોટ મળી શક્યા હતા.

70માંથી 67 સીટ પર AAP જીતી
દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ ઘોષિત થશે. આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના કામના દમ પર જનતા પાસેથી વોટ માંગ્યા છે. પાર્ટીને ઉમ્મીદ છે કે તેઓ પોતાની મફત યોજનાઓના દમ પર એકવાર ફરીથી જીત હાંસલ કરશે. અગાઉ 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ પર જીત મેળવી હતી. જ્યારે ભાજપને માત્ર 3 સીટ જ મળી હતી અને કોંગ્રેસના હાથ માત્ર એક જ સીટ લાગી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
