ફરી ભાજપે વીરભદ્ર પર સાધ્યા નિશાન

ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ આરોપ લગાવ્યો છે કે સિંહે 2008 પછી પોતાની ટેક્સ રીટર્નમાં ફેરફાર કર્યા છે, તેથી છેલ્લી તારીખે નકલી કરાર રજૂ કરી શકાય જ્યારે અંદાજે 6.5 કરોડ રૂપિયાની આવક દેખાડી શકાય. તેમણે કહ્યું કે, તેમના પર લગાવવામાં આવેલા આરોપો વિરુદ્ધ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે.
સિંહ એ સમયે ટીકાઓમાં ફસાયા જ્યારે તેમના પર સ્ટીલ કંપની પાસેથી પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. આ વાત ત્યારે સામે આવી હતી જ્યારે આ કંપની પર 2010માં દરોડા પાડવામાં આવ્યાં હતા.
ભાજપે આજે એ સમાચારો પર વીરભદ્ર સિંહને નિશાન બનાવ્યું જેમાં વિશંભર દાસ નામની વ્યક્તિ સાથે બગીચા સંબંધિત કરારમાં સહી કરી અને 10.5 લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે તેવી વાત કરી હતી.
ભાજપે કહ્યું કે જ્યારે દરોડામાં સ્ટીલ કંપનીની ડાયરીઓ સામે આવે, સિંહએ આનંદ ચૌહાણ નામની વ્યક્તિ સાથે છેલ્લી તારીખના કરાર કર્યા જેથી પૂર્વ કરારમાં બદલાવ કરી શકાય. આ કરારમાં ચૌહાણે ત્રણ વર્ષમાં 6.5 કરોડ રૂપિયા જોડ્યા.












Click it and Unblock the Notifications
