For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ચૂંટણી અને રાજ્યસભા ચૂંટણીને લઈને હલચલ તેજ, શું વિપક્ષ આપી શકશે પડકાર

ભારતીય જનતા પાર્ટીમાં પણ આગામી જુલાઈ મહિનામાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મોટી બેઠકોનો દોર શરુ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં હલચલ તેજ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આગામી જુલાઈ મહિનામાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મોટી બેઠકોનો દોર શરુ કરી દીધો છે. બેઠકમાં આગલા રાષ્ટ્રપતિના નામ પર મંથન ચાલી રહ્યુ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહે ચાર કલાક સુધી બેઠક કરીને રાષ્ટ્રપતિ ચૂંટણી પર ચર્ચા કરી. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણીને પણ એક નિર્ણાયક ચૂંટણી તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ નેતા જેપી નડ્ડાએ સોમવારની સાંજે પોતાના આવાસ પર આ બેઠક કરી. તમને જણાવી દઈએ કે 10 જૂનથી 57 રાજ્યસભા સીટો માટે નામાંકનની પ્રક્રિયાની પણ શરુઆત થઈ રહી છે.

bjp

25 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે રામનાથ કોવિંદનો કાર્યકાળ

રાજ્યસભા ચૂંટણીને પણ રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે અને આની સીધી અસર રાષ્ટ્રપતિ ચૂંટણી પર થશે. તમને જણાવી દઈએ કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ ખતમ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરી રહી છે તો બીજી તરફ વિપક્ષે પણ આને લઈને કવાયત તેજ કરી દીધી છે. તેલંગાનાના મુખ્યમંત્રી કેસીઆર અને મહારાષ્ટ્રના નેતા શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર વિપક્ષમાં સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું છે મતનુ ગણિત

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી પાસે સાંસદો અને ધારાસભ્યોના કુલ 48.9 ટકા વોટ છે. જ્યારે વિપક્ષ પાસે 51.1 ટકા વોટ છે. તેથી ભાજપને માત્ર એક ભાગીદારની જરૂર છે. તેથી જો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી જો ભાજપના ઉમેદવારને સમર્થન આપે તો ભાજપ સરળતાથી પ્રમુખ પદ માટે પોતાની પસંદગીના ઉમેદવારને પસંદ કરી શકે છે. વળી, વિપક્ષ તરફથી 2024માં કેસીઆર બિન-કોંગ્રેસી અને બિન-ભાજપ વિકલ્પો માટે સતત કામ કરી રહ્યા છે.

વિપક્ષની પણ કવાયત તેજ

ગયા અઠવાડિયે કેસીઆર આ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપા વડા અખિલેશ યાદવને મળ્યા હતા. એટલુ જ નહિ તેમણે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમકે સ્ટાલિન, મમતા બેનર્જી સાથે પણ ફોન પર વાત કરી હતી. માનવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને મમતા બેનર્જીને મળશે. તેઓ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને પણ મળવાના છે. આવી સ્થિતિમાં જો કેસીઆર ભાજપના સહયોગી નીતીશ કુમારને સાથે લેવામાં સફળ થાય તો એનડીએ માટે મોટો ઝટકો બની શકે છે.

English summary
BJP steps up meeting to discuss President Election and Rajya Sabha election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X