'અન્ના' જોડાશે ભાજપમાં, મુંબઇથી ચૂંટણી લડવાની તૈયારી
મુંબઇ, 6 ડિસેમ્બર: બૉલીવુડના પ્રસિદ્ધ અભિનેતા 63 વર્ષીય નાના પાટેકર હવે નરેન્દ્ર મોદીની બાજુમાં ઉભેલા જોવા મળશે. ભાજપે નાના પાટેકરને મુંબઇના ઉત્તર મધ્ય લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવા માટે સંપર્ક કર્યો છે. નાના પાટેકરે હાલમાં લોકસભાની ચૂંટણી લડવાના નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા આપી નથી, ભાજપના એક કદાવર નેતાએ જણાવ્યું હતું કે ઉત્તર મધ્ય લોકસભા વિસ્તાર શિવસેના ભાજપ ગઠબંધનમાં ભાજપના ખાતામાં આવી છે. એટલા માટે ભાજપ નાના પાટેકરને ચૂંટણી લડાવવા માટે મન બનાવવા કહી રહી છે.
મુંબઇની ઉત્તર મધ્ય લોકસભા સીટ દેશની મોસ્ટ વીવીઆઇપી લોકસભા સીટોમાં આવે છે, આ સીટ પરથી મહાન અભિનેતા સ્વર્ગિય સુલીલ દત્ત કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા હતા. તેમના નિધન બાદ તેમની પુત્રી પ્રિયા દત્તે પોતાના પિતાનો વારસો સંભાળ્યો છે.

શિવસેનાએ કહ્યું હતું કે નાના પાટેકરના રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે સારા સંબંધો છે. દિગંવત બાલ ઠાકરે ગણેશોત્સવ દરમિયાન પૂજા માટે નાના પાટેકરના ઘરે જતા હતા. પરંતુ નાના પાટેકર ચૂંટણી લડવા માટે તૈયાર થઇ જાય છે તો રાજ ઠાકરે પણ તેમનું સમર્થન કરી શકે છે. નાના પાટેકર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ સાથે જોડાયેલા છે. નાના પાટેકર પ્રોજેક્ટની તે નેશનલ કોર્ડિનેશન કમિટીના સભ્ય છે જે સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવવા માટે દેશભરમાંથી લોખંડ એકઠું કરી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
