કોલસા કૌભાંડમાં દરોડાઓનું સ્વાગત કરતી બીજેપી
પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભાજપા પૂર્વ કોલસા મંત્રી દસારી નારાયણ રાવ અને કોંગ્રેસ સાંસદ નવીન જિંદલના ત્યાં દરોડા પાડવાની વાતનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે ભાજપા નેતાઓની ફરિયાદ પર સીબીઆઇએ આ તપાસ શરૂ કરી છે અને આ મોટા ઘોટાળામાં તેણે એ તપાસ કરવી જોઇએ કે કોલસા બ્લોક ફાળવણીમાં રૂપિયાની જે લેન દેન થઇ તે ક્યાંથી આવ્યા અને ક્યા ગયા. તેમણે જણાવ્યું કે આના વગર તપાસ છેતરપીંડી છે.
ભાજપા પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં રાશન કાર્ડ સુદ્ધા લાંચ વગર નથી બનતું. આ મામલામાં એ નિશ્ચિત છે કે ધન સત્તાધારી પાર્ટીની પાસે ગયું છે નહી કે સરકારની પાસે. સરકાર પર તેમણે આરોપ લગાવ્યો કે તે તપાસમાં અડચણો નાખી રહી છે.
તેમણે કહ્યું કે તપાસ આમતો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થઇ રહી છે પરંતુ સરકાર તેમાં હસ્તક્ષેપ કરી રહી છે. આ ઘોટાળામાં એક પૂર્વ કોયલા સચિવનું નામ આવ્યું છે પરંતુ સરકાર સીબીઆઇને તેમની પૂછપરછ કરવાની પરવાનગી આપી નથી. જાવડેકરે દાવો કર્યો છે કે આ મામલાથી સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલો હજી પણ સરકારની પાસે છે જેને સીબીઆઇને તુરંત સોંપવી જોઇએ.