રાજસ્થાનમાં કમળ ખીલવશે રાજે, ગહેલોત સરકાર મુશ્કેલીમાં: સર્વે
નવી દિલ્હી, 30 ઓક્ટોબર: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપને મોટી સફળતા હાથ લાગી શકે છે. અત્રે અશોક સરકાર ફરી સત્તામાં આવે તેવા સંકેતો ખૂબજ ઓછા છે. રાજસ્થાનમાં સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણ સામે આવ્યું છે.
સર્વેની માનીએ તો અત્રે કોંગ્રેસને 32 ટકા વોટ મળી શકે છે, જ્યારે ભાજપના ખાતમાં 41 ટકા વોટ પડી શકે છે. જ્યારે બસપાને 7 ટકા અને અન્યોને 20 ટકા વોટ મળવાની સંભાવના છે. આ આધારે ભાજપને 115-125 બેઠકો, કોંગ્રેસ 60-68 બેઠકો અને બીએસપીને 4-8 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યોના ખાતામાં 8-12 બેઠકો થઇ શકે છે.
જ્યાં સુધી સરકારના કામકાજની વાત છે તો એ અંગે લોકોના અભિપ્રાય સરકારની વિરુદ્ધ થઇ રહ્યા છે. માત્ર 31 ટકા લોકો સરકારના કામકાજથી ખુશ છે, જ્યારે 45 ટકા લોકો નાખુશ છે. જ્યારે 24 ટકા લોકોએ પોતાનો કોઇ અભિપ્રાય વ્યક્ત નથી કર્યો.
આ ઉપરાંત જ્યારે અશોક ગહેલોતને એક તક આપવાની વાત સર્વેમાં આવી તો 50 ટકા લોકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું. જ્યારે 38 ટકા લોકો આની વિરુદ્ધમાં ગયા. જ્યારે 12 ટકા લોકોએ પોતાના મંતવ્યો ના આપ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએસડીએસએ આ સર્વે કર્યો છે. 14થી 21 ઓક્ટોબરની વચ્ચે થયેલા આ સર્વેમાં 49 વિધાનસભા બેઠકો પર જનતાના અભિપ્રાયો લેવાયા. 196 પોલિંગ સ્ટેશનોના 4427 વોટરો સાથે વાતચીત કરવામાં આવી.
વિસ્તૃત માહિતી સ્લાઇડરમાં...

રાજસ્થાનમાં ભાજપની સ્થિતિ મજબૂત
છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપને મોટી સફળતા હાથ લાગી શકે છે. અત્રે અશોક સરકાર ફરી સત્તામાં આવે તેવા સંકેતો ખૂબજ ઓછા છે. રાજસ્થાનમાં સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણ સામે આવ્યું છે.

ભાજપને 115-125 બેઠકો મળશે
સર્વેની માનીએ તો અત્રે કોંગ્રેસને 32 ટકા વોટ મળી શકે છે, જ્યારે ભાજપના ખાતમાં 41 ટકા વોટ પડી શકે છે. જ્યારે બસપાને 7 ટકા અને અન્યોને 20 ટકા વોટ મળવાની સંભાવના છે. આ આધારે ભાજપને 115-125 બેઠકો, કોંગ્રેસ 60-68 બેઠકો અને બીએસપીને 4-8 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યોના ખાતામાં 8-12 બેઠકો થઇ શકે છે.

લોકોના અભિપ્રાય કોંગ્રેસની વિરુદ્ધ
જ્યાં સુધી સરકારના કામકાજની વાત છે તો એ અંગે લોકોના અભિપ્રાય સરકારની વિરુદ્ધ થઇ રહ્યા છે. માત્ર 31 ટકા લોકો સરકારના કામકાજથી ખુશ છે, જ્યારે 45 ટકા લોકો નાખુશ છે. જ્યારે 24 ટકા લોકોએ પોતાનો કોઇ અભિપ્રાય વ્યક્ત નથી કર્યો.

અશોક ગહેલોતને એક તક આપવાની વાત
આ ઉપરાંત જ્યારે અશોક ગહેલોતને એક તક આપવાની વાત સર્વેમાં આવી તો 50 ટકા લોકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું. જ્યારે 38 ટકા લોકો આની વિરુદ્ધમાં ગયા. જ્યારે 12 ટકા લોકોએ પોતાના મંતવ્યો ના આપ્યા.

સીએસડીએસએ આ સર્વે કર્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે સીએસડીએસએ આ સર્વે કર્યો છે. 14થી 21 ઓક્ટોબરની વચ્ચે થયેલા આ સર્વેમાં 49 વિધાનસભા બેઠકો પર જનતાના અભિપ્રાયો લેવાયા. 196 પોલિંગ સ્ટેશનોના 4427 વોટરો સાથે વાતચીત કરવામાં આવી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
