સત્તામાં આવીશું તો બધી જ સરહદો સીલ કરીશું : ગડકરી

ભારતીય જનતા યુવા મોરચાની શહીદ શ્રધ્ધાંજલિ યાત્રાને લીલીઝંડી બતાવવા માટે ગુવાહાટીમાં પહોંચેલા નીતિન ગડકરીએ સ્થાનિક કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું કે યુપીએના શાસનમાં દેશ સુરક્ષિત નથી. મેં અનેક દેશોનો પ્રવાસ કર્યો છે અને જોયું છે કે અન્ય દેશો કેવી રીતે પોતાની સરદહોને સુરક્ષિત બનાવે છે. આપણે પણ તેમ કરી શકીએ એમ છીએ.
આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા માટે કોંગ્રેસના વોટ બેંકના રાજકારણને જવાબદાર ઠેરવીને ગડકરીએ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઇ ઠીક છે પણ કોંગ્રેસ સરકાર તો બાંગ્લાદેશીઓને બોલાવીને કોંગ્રેસ તેમને પ્રોત્સાહન આપી રહી છે. આ વોટબેંકના રાજકારણનું એફડીઆઇ છે.












Click it and Unblock the Notifications
