ચેન્નાઇ રેલ્વે સ્ટેશન ગુવાહાટી-બેંગલોર એક્સપ્રેસમાં બ્લાસ્ટ, 1નું મોત, 10 ઘાયલ
ચેન્નાઇ, 1 મે : આજે સવારે અંદાજે 7.25 વાગે ચેન્નાઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 9 પર ઉભેલી ટ્રેન ગુવાહાટી બેંગલોર એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર આ બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 10 અન્ય વ્યક્તિઓ ઘાયલ થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન રેલવે પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી હતી કે તરત જ તેમાં ધમાકો થયો હતો. આ બ્લાસ્ટ ટ્રેનના ડબ્બા નંબર એસ 4 અને એસ5માં થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બંને કોચ અત્યંત ખરાબ રીતે નુકસાન પામ્યા છે.
ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
2 - ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
2 -ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
3 - ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
3-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
4-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
4-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
5-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
5-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
6-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
6-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
7-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
7-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
8-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
8-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
9-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
9-ચેન્નાઇ રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ
કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઇ રેલવે સ્ટેશન પર આવો બ્લાસ 15 વર્ષ બાદ થયો છે. મહંતી એક્સપ્રેસ તરીકે જાણીતી ગુવાહાટી બેંગલોર એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટની ગૃહ મંત્રાલયે પુષ્ટિ કરી છે.
આ બ્લાસ્ટ થયાની થોડી જ મીનિટોમાં પોલીસ સ્ટેશન પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સરકારે મૃતકને રૂપિયા એક લાખની સહાય અને ઘાયલોને રૂપિયા 25,000ની સહાય જાહેર કરી છે.