સિંધુરક્ષક અકસ્માત: 3 નૌસૈનિકોની લાશ મળી આવી
મુંબઇ, 16 ઓગષ્ટ: તાજેતરમાં દુર્ધટનાગ્રસ્ત થયેલી ભારતીય નૌસેનાની પનડુબ્બી આઇએનએસ સિંધુરક્ષકમાંથી ત્રણ નૌસૈનિકોની લાશ મળી આવી છે. વિસ્ફોટ થયા બાદ ડૂબેલી આ પનડુબ્બીથી મરજીવાઓએ શુક્રવારે આ લાશ પ્રાપ્ત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે 'આપણા મરજીવાઓએ પનડુબ્બીમાંથી ત્રણ લાશ કબજે કરી છે પરંતુ હજુ સુધી તેમની ઓળખવિધી કરી શકાઇ નથી.' નૌસેનાએ કાલે આ પનડુબ્બીમાં ફસાયેલા નાવિકોમાંથી ત્રણ અધિકારીઓના નામ બતાયા હતા. પનડુબ્બીમાં ફસાયેલા બધા નાવિકોના મોત નિપજ્યાં હોવાની આશંકા છે.
નૌસેનાએ પનડુબ્બીમાં ફસાયેલા ત્રણ અધિકારીઓ લેફ્ટિનન્ટ કમાન્ડર નિખિલ પાલ, આલોક કુમાર અને આર વેંકિટરાજના નામ બતાવ્યા હતા. આ ઉપરાંત પનડુબ્બીમાં ફસાયેલા વધેલા નાવિકોના નામ સંજીવ કુમાર, કે સી ઉપાધ્યાય, તિમાથી સિન્હા, કેવલ સિંહ, સુનીલ કુમાર દસારી પ્રસાદ, લીજૂ લોરેંસ, રાજેશ ટૂટિકા, અમિત કે સિંહ, અતુલ શર્મા, વિકાસ ઇ નરોત્તમ દેઉરી, મલય હલદાર, વિષ્ણુ વી અને સીતારામ બદાપલ્લી બતાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે રાત્રે મુંબઇના ખોળામાં ઉભેલી પનડુબ્બી આઇએનએસ સિંધુરક્ષમાં ભીષણ વિસ્ફોટ થયો હ્તો અને તે ડૂબી ગઇ હતી. આ નૌસેનાને એક મોટો આધાત પહોંચ્યો હતો. નૌસેનાના મરજીવા બુધવારે મોડી રાત્રે જ પનડુબ્બીમાં પહોંચી ગયા હતા, પરંતુ તે ફસાયેલા 18 લોકોને શોધવામાં તેમને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી.
પનડુબ્બીમાં ઓછા અજવાળાના કારણે કંઇ દેખાતું ન હતું અને તે પાણીથી ભરાઇ ગઇ હતી. તેની અંદરના બધા ઉપકરણો તેની જગ્યાએ હટી ગયા હતા અને તેમાં પહોંચ બનાવવી મુશ્કેલ હતી. નૌસેના આ પનડુબ્બીને નિકાળવાના કામમાં એક ડચ કંપનીની મદદ લેવાનું વિચારી રહી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
