હવે રાજ ઠાકરે સામે કોમેન્ટ કરનારની ધરપકડ

એક અહેવાલ અનુસાર 19 વર્ષના સુનીલ વિશ્વકર્માને બુધવારે સવારે ગિરફ્તાર કરવામાં આવ્યો. તેણે પોતાના ફેસબુક પેજ પર કંઇક એવું લખ્યું હતું જે રાજ ઠાકરેના સમર્થકોને છાજ્યું નહી. સુનીલ પાલઘરનો રહેનાર છે. પહેલા જે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી તે પણ પાલઘરની જ રહેવાસી હતી. સુનીલના પોસ્ટથી ગુસ્સે થયેલા મનસે કાર્યકર્તાઓએ તેમના ઘરનો ઘેરો ઘાલ્યો હતો. તેઓ તેને પકડીને પાલઘર પોલીસ સ્ટેશન લઇ ગયા. સુનિલ પર હજી સુધી કોઇ આરોપ લગાવવામાં આવ્યો નથી.
પોલીસ કોઇપણ પ્રકારના એક્શન પહેલા કાનૂની સલાહ લેવા માગે છે. આ પહેલા 17 નવેમ્બરના રોજ મુંબઇ બંધને લઇને ફેસબુક પર કોમેન્ટને લઇને બે છોકરીઓની ધરપકડ કરાઇ હતી. જોકે બાદમાં બંનેને છોડી દેવામાં આવી હતી. તેમજ બંનેને જામીન આપનાર જજનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
