મુંબઇ-ગોવા હાઇવે પર પુલ તૂટતા, 2 બસો સમેત 22 લોકો ગુમ
બ્રિટિશ સમય વખતે સાવિત્રી નદી પર બનાવેલો મુંબઇ-ગોવાને જોડતો પુલ તૂટી પડતા બે બસો સમતે 22 લોકો ગુમ થયા છે. મંગળવારે મોડી રાતે આ ધટના બની હતી. આ દુર્ધટનામાં ગુમ થયેલા લોકો વિષે હજી સુધી કોઇ પણ માહિતી મળી નથી.
નજરે જોનાર લોકોના કહેવા મુજબ નદીમાં ભારે પ્રવાહ હતો જેના કારણે અચાનક જ વચ્ચેથી પુલ તૂટી જતા તે સ્થળે ઊભેલી બે બસો પાણીમાં ગણતરીના સમયમાં ગરકાવ થઇ ગઇ હતી. આ દુર્ધટનામાં 22 જ વધુ લોકો ગુમ થવાની સંભાવના છે. જે બાદ સ્થાનિક લોકો અને જિલ્લા પ્રસાશને મળીને લોકોને બચાવવાની કામગિરી હાથ ધરી હતી. વળી એનડીઆરએફની ત્રણ ટીમો પણ ધટના સ્થળે પહોંચી છે.
સાવિત્રી નદીમાં બુધવાર બપોર સુધી કોઇ વહાન કે વ્યક્તિ મળવાના ખબર નથી આવ્યા. જો કે દુર્ધટના પછી અહીં લાંબો ટ્રાફિક જમા થઇ ગયો છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે.
Spoke to Raigad SP & Collector about bridge collapse on Mumbai-Goa highway.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) August 2, 2016
Administration has rushed to spot for rescue&immediate measures.