BSF Jawan ઘાયલ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર તસ્કરો સાથે ઝડપ
બાંગ્લાદેશ ભારતની બોર્ડર પર તસ્કરોએ બીએસએફ જવાન પર હૂમલો કર્યો હતો. જવાનને હાથમાં અને માથાના ભાગમાં ઇજા પહોચાડીને તસ્કર ભાગી ગયો હતો. જવાનને સારવાર અર્થે કોલકાતા ખસેડવામાં આવ્યો હતો.
BSF Jawan બાંગ્લાદેશ સરહદ પર તસ્કરો સાથે થયેલી ઝડપમાં ઘાયલ થઇ ગયા છે. રિપોર્ટ અનુસાર બીએસએપ જવાન અને માથા પર ઇજા થઇ છે. ઘાયલ જવાનને સામા ચોગી પર પ્રાથમિક સારવાર આપાવામાં આવી છે .ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઇંડિયા ટુડેની રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળ સિકરામાં ચાર બાંગ્લાદેશી તસ્કરોના હૂમલામા એક બીએસએફ જવાન ગંભીર રૂપથી ઘાયર થયો છે. તસ્કર ભારતીય સીમામાં ઘુસપેઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટના 17 જાન્યુઆરીની છે. જે દક્ષિણ બગાળની કૃષ્ણનગર સેક્ટરની છે.
તસ્કરોએ સિપાહી પર ધારદાર હથિયારથી હૂમલો કર્યો હતો. જેનાથી તેના હાથ અને માથાના ભાગે જોરાદર ઇજા થઇ હતી. આ પહેલા જવાન કઇ સમજી શકે તે પહેલા તસ્કરોએ હથિયાર છીનવી લીધુ અને બાગ્લાદેશ તરફ ભાગી ગયા હતા. જાણકારી મળતા અન્ય જવાન ઘાયલ જવાનને બચાવા માટે દોડી આવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં તસ્કરો ત્યાંથી ફરાર થઇ ચૂક્યા હતા. આ સંબંધમાં છપરા થાનામાં પ્રાથિક કેશ દાખલ કરવામાં આવ્યો છે.
ઘાયલ જવાનની સીમા ચૌકી પર પ્રાથમીક સારવાર આપવામા આવી છે. ત્યાર બાદ છાપરાના એક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો .બાદમાં ડોક્ટરોએ જવાનને ગંભીર સ્થિતિ જોતા કોલકાતા રેફર કરવામાં આવ્યો હતો .કૃષ્ણનગર સેક્ટરની ડીઆઇજી સંજય કુમારે કહ્યુ કે, "જ્યા સુધી તસ્કર અને અપરાધિક મંશા વાળા લોકો સરહદ પાર પોતાની ગેર કાયદેસર ગતિવિધિઓ પ્રવૃતિમાં સફળ નથી થતા ત્યા સુધી તે જવાનો પર હૂમલો કરતા રહશે. આપણા જવાનો પર સુનિયોજીત રીતે હૂમલો કરવામાં આવે છે .તો પણ તે પોતાના મંસૂબોને કાયમ નથી થવા દેતા.