આ પ્રદેશમાં બીએસપી અને કોંગ્રેસનું ગઠબંધન થઇ શકે છે
હરિયાણામાં યોજાનારી ચૂંટણી અંગે સિયાસી હલચલ હવે ઝડપી થઈ ગઈ છે. ભાજપા નેતા અમિત શાહે પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે
હરિયાણામાં યોજાનારી ચૂંટણી અંગે સિયાસી હલચલ હવે ઝડપી થઈ ગઈ છે. ભાજપા નેતા અમિત શાહે પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે, જયારે કોંગ્રેસે રાજ્યમાં ચૂંટણીમાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. આ દરમિયાન સૂત્રોના હવાથી એક મોટા સમાચાર આવે છે. ખબર આવી રહી છે કે ભાજપને રોકવા માટે કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી શકે છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. હાલમાં હરિયાણામાં ભાજપની સરકાર છે.

પૂર્વ સીએમ હુડ્ડા માયાવતીને મળ્યા
આપને જણાવી દઈએ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને બીએસપી પોતાનું સમર્થન આપી રહી છે. હવે ચર્ચા છે કે હરિયાણામાં બંને દળ સાથે મળીને ચુંટણી લડી શકે છે. સૂત્રોના હવાલેથી સંભળાય છે કે હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કુમારી શાલજાએ રવિવારે રાત્રે બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી પ્રદેશમાં કોંગ્રેસ અને બસપા સાથે મળીને ચૂંટણી લડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માયાવતી જેજેપી સાથે ગઠબંધન તોડી ચુકી છે
બે દિવસ પહેલા માયાવતીએ જાહેરાત કરી હતી કે તે હરિયાણાની વિધાનસભાની તમામ 90 બેઠકો પર કોઈપણ જોડાણ વિના પોતાના ઉમેદવારોને ઉતારશે. આ પહેલા માયાવતીએ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે જોડાણની ઘોષણા કરી હતી. જોકે, મહાગઠબંધન અકબંધ રહી શક્યું નહીં અને બંને પક્ષોએ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓની ઘોષણા પૂર્વે જ જોડાણ તોડવાની જાહેરાત કરી. મહાગઠબંધન સમાપ્ત કરવાની જાહેરાત કરતા માયાવતીએ કહ્યું હતું કે બસપા એકલા હાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે. હકીકતમાં, બીએસપી અને જેજેપીએ બેઠકો પર સહમતી ન થયા પછી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં દુષ્યંત ચૌટાલાએ દાવો કર્યો હતો કે તેમણે બસપાને 40 બેઠકોની ઓફર કરી હતી, પરંતુ માયાવતી આ માટે સહમત નથી.

પીએમ મોદીની રેલી પછી પ્રદેશની રાજનીતિ ગરમાઈ ચુકી છે
આ સાથે જ રવિવારે પીએમ નરેન્દ્ર મોદીની રોહતક રેલી બાદ હરિયાણાનો રાજકીય પારો પણ ઉંચકાયો છે. પીએમ મોદીએ તેમની રેલીમાં લોકસભા ચૂંટણીમાં હરિયાણાની તમામ 10 બેઠકો જીતવા બદલ રાજ્યની જનતાનો આભાર પણ માન્યો. આ રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણીમાં હરિયાણાની તમામ 10 બેઠકો પર ભાજપને જીતવા બદલ હું તમારો આભાર માનું છું. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ ત્રીજી વખત છે જ્યારે હું રોહતક આવ્યો છું. આ વખતે, હું તમારા બધા પાસે વધુ ટેકો માંગવા આવ્યો છું અને રોહતકે હંમેશાં મને જે માંગ્યું છે તેના કરતા વધારે આપ્યું છે. આજે સમગ્ર દેશનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે.
આ પણ વાંચો: તિહાર જેલમાં દૂર્ગંધથી ત્રસ્ત પી ચિદમ્બરમને જમવામાં આવી રહ્યુ છે આ પસંદ












Click it and Unblock the Notifications
