સરકાર કાર્યકર્તાઓની ધરપકડ કરીને દેશમાં આતંક અને ડર ફેલાવી રહી છેઃ બસપા
બસપાનું કહેવુ છે કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડી રહેલા દલિત, આદિવાસીઓને દબાવવા માટે સત્તાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહી છે.
મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ હિંસા મામલે મંગળવારે દેશભરમાં તાબડતોબ રેડ પાડીને માઓવાદીઓ સાથે સંપર્ક રાખવાની શંકામાં લગભગ 5 ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી. આ પાંચે કાર્યકર્તાઓની ધરપકડનો લોકો વિરોધ કરી રહ્યા છે. બુધવારે બહુજન સમાજ પાર્ટીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. બસપાનું કહેવુ છે કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડી રહેલા દલિત, આદિવાસીઓને દબાવવા માટે સત્તાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહી છે.

બસપા તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં દલિતો, જનજાતિઓ અને નીચલા સમાજોના ઉત્પીડન સામે અદાલતમાં લડતા કાર્યકર્તાઓની ધરપકડ કરીને સરકાર આતંક અને ડર ફેલાવી રહી છે. ભાજપ દ્વારા સત્તાની તાકાતનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વળી, ભીમા-કોરેગાંવ હિંસા મામલે સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખાની ધરપકડ પર હાઈકોર્ટે સવાલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે પૂછ્યુ કે પૂણે પોલિસ જણાવે કે કયા ઠોસ પુરાવાઓના આધાર પર આમની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે રાજદ પ્રમુખ લાલુ યાદવે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ દેશ તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે. પાંચ બુદ્ધિજીવીઓની ધરપકડ કરવી દર્શાવે છે કે દેશ કટોકટી તરફ આગળ વધી રહ્યો છે. હું તેમની નિંદા કરુ છુ. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પૂણે સ્થિત ભીમા-કોરેગાંવમાં આ વર્ષની શરૂઆતમાં ભડકેલી હિંસા મામલે પૂણે પોલિસે ઘણા શહેરોમાં એક સાથે રેડ પાડીને કવિ અને ડાબેરી બુદ્ધિજીવી વરવરા રાવ, ફરીદાબાદથી સુધા ભારદ્વાજ અને દિલ્હીથી ગૌતમ નવલખાની ધરપકડ કરી છે. વળી, થાણેથી અરુણ ફરેરા અને ગોવાથી બર્નન ગોંઝાલવિસની ધરપકડ કરી છે.
આ પહેલા પોલિસે આ મામલે જૂન, 2018 માં ધરપકડ કરાયેલ એકના ઘરેથી પીએમ નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર સાથે જોડાયેલ એક પત્ર જપ્ત કર્યો હતો. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જેમ મોદીને પણ નિશાન બનાવવાની વાત કહી હતી. આ પત્રથી જ વરવરા રાવનું નામ સામે આવ્યુ હતુ.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
