પશ્ચિમ બંગાળની ચૂંટણી પોતાના દમ પર લડશે બસપા, માયાવતીએ મમતા પર થયેલ હુમલાને ગણાવ્યો દૂર્ભાગ્યપૂર્ણ
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને પોતાના બળ પર લડવાનુ એલાન કર્યુ છે.
લખનઉઃ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને પોતાના બળ પર લડવાનુ એલાન કર્યુ છે. આ એલાન તેમણે લેટેસ્ટ ઘટનાક્રમને જોઈને શુક્રવારે(12 માર્ચ) કર્યુ છે. સાથે આ અંગેની માહિતી ટ્વિટ કરીને આપી છે. એટલુ જ નહિ બસપા અધ્યક્ષ માયાવતીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર ચૂંટણી દરમિયાન થયેલ હુમલાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

બસપા પોતાના દમ પર લડશે પશ્ચિમ બંગાળની ચૂંટણીઃ માાયાવતી
બસપા અધ્યક્ષ તેમજ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ શુક્રવારે(12 માર્ચ) બે ટ્વીટ કર્યા છે. ટ્વિટમાં માયાવતીએ પોતાના દમ પર પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની વાત કહી છે. માયાવતીએ લખ્યુ, 'આ સાથે સાથે આ લેટેસ્ટ ઘટનાના કારણે અહીં પોતાના બળ પર પશ્ચિમ બંગાળ વિધાનસભા સામાન્ય ચૂંટણી લડનાર બસપાના બધા ઉમેદવારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓં વગેરેને અપીલ છે કે તે પૂરી સાવધાની રાખીને પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે.'

મમતા બેનર્જી પર થયેલ હુમલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરોઃ માયાવતી
ટ્વિટમાં માયાવતીએ લખ્યુ, 'પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીનુ ચૂંટણી દરમિયાન અચાનક ઘાયલ થવુ અત્યંત દુઃખદ તેમજ દૂર્ભાગ્યપૂર્ણ છે. કુદરત તેમના શીઘ્ર સ્વાસ્થ્ય લાભની કામના. સાથે જ ચૂંટણી પંચ દ્વારા પણ આને ગંભીરતાથઈ લઈને તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી જરૂરી, બસપાની આ માંગ.'

મમતા બેનર્જી નંદીગ્રામમાં થઈ ગયા હુમલાનો શિકાર
વાસ્તવમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન સાંજે દૂર્ઘટનાનો શિકાર બની ગયા અને તેમના પગમાં ઈજા થઈ. જો કે મમતા તરફથી આરોપ લગાવામાં આવ્યો કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. વળી, ભાજપે આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
