Budget session : પીએનબી કૌભાંડ મામલે વિપક્ષ કર્યો વિરોધ
બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત સાથે જ મંગળવારના દિવસે વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. જાણો આ વિરોધ પ્રદર્શન પાછળના કારણો અહીં
બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત મંગળવારના દિવસે કરવામાં આવી. આજે સંસદ સદનની કાર્યવાહી શરૂ થવાની સાથે જ વિરોધમાં ફેરવાઇ ગઇ. નિરવ મોદી અને બેંક કૌંભાંડ મામલે વિપક્ષે ભેગા મળીને સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. નિરવ મોદી, એસએસસી સ્કેમ, કાવેરી જળ વિવાદ જેવા મુદ્દા લઇને વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાં જ બીજી તરફ સરકારની સાથી પાર્ટી તેવી તેલુગુ દેશમ પાર્ટીએ આંધ્ર પ્રદેશને વિશેષ શ્રેણીમાં રાખવાની માંગણી કરી હતી. આજે મંગળવારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને અમેઠી સાંસદ તેવા રાહુલ ગાંધીએ પીએનબી સ્કેમ મામલે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પ્રદર્શન કર્યું હતું. ટીડીપીના સાંસદોએ પણ આ મૂર્તિ પાસે બેસીને પોતાની માંગણી દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના સાંસદ જય પ્રકાશ નારાયણે એસએસસી કૌભાંડ મામલે લોકસભામાં જીરો અવર નોટિસ આપવામાં આવી હતી.
તો શિવસેના સાંસદોએ પણ મરાઠી ભાષાને ક્લાસિકલ ભાષા જાહેર કરવાની માંગણી સાથે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજી તરફ આંધ પ્રદેશની માંગણીને લઇને વિરોધના પગલે પહેલા જ સદનને 11:30 વાગે સ્થગિત કરવામાં આવ્યું હતું. અને તે પછી સદનને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આમ વિવિધ અલગ અલગ મુદ્દાને કારણે સંસદમાં આજે વિરોધ પ્રદર્શનના વર્તૃળમાં ઊભેલું જોવા મળ્યું છે.