નીતિશે ઉડાવી મોદીના વિકાસ મૉડલની મજાક, કહ્યું 'રનવે ની ભેંસે' ઉઘાડી પૉલ
પટના, 8 નવેમ્બર: બિહારના પૂર્વ સીએમ નીતિશ કુમાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કડવાહટથી બધા વાકેફ છે. બંને નેતા પોત-પોતાના રાજ્યોના વિકાસ માટે જાણીતા છે પરંતુ બંને એકબીજાને પસંદ કરતા નથી એટલા માટે ભલે પીએમ મોદી નીતિશ કુમાર પર કોઇ ટિપ્પણી ના કરે પરંતુ નીતિશ કુમાર વડાપ્રધાન પર કંઇપણ કહેવાની તક છોડતા નથી.
નીતિશ કુમારે પોતાના ફેસબુક વોલ પર પીએમ મોદીની જોરદાર મજાક ઉડાવી છે. તેમણે ઉડ કે દેખો ભેંસો કે સાથ મેં, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં! શીર્ષક સાથે મોદીની સાથે અમિતાભ બચ્ચન પર પણ નિશાન તાક્યું છે. નીતિશ કુમારે લખ્યું છે કે સુરતના રનવે પર આવેલી ભેંસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિકાસ મોડલના જોરદાર ધજાગરા ઉડાવ્યા હતા.
નીતિશ કુમારે લખ્યું છે કે આ મોદી સરકારની સત્યતા છે, જેના લીધે ફ્લાઇટમાં બેઠેલા બધા 150 યાત્રીઓનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ફોટોશોપના માધ્યમથી એડિટ કરેલો ફોટો અપલોડ કરીને નરેન્દ્ર મોદીએ દેશની જનતાને મૂર્ખ બનાવી દિધા છે પરંતુ હવે જનતા સમક્ષ તેમની સચ્ચાઇ ઉજાગર થઇ ગઇ છે.

વિકાસ મોડલના નામ પર મોદીએ જનતાને બનાવ્યા મૂર્ખ
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે સ્પાઇસજેટ જેટનું એક વિમાન સુરત એરપોર્ટ પર એક ભેંસ સાથે ટકરાઇ ગયું હતું. બોઇંગ 737-800 વિમાન ઉડાન નંબર એસજી 622માં 150 મુસાફરો અને ચાલક દળના છ સભ્યો હતા. બધા સુરક્ષિત બચી ગયા. વિમાન સુરતથી નવી દિલ્હી માટે ઉડાન ભરવાનું હતું. ત્યારબાદ કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂઈ શુક્રવારે સ્પાઇસજેટ કેસ અને હવાઇપટ્ટી પર સુરક્ષા ખામીઓ સંબંધી ઘટનાઓની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ કંપની સ્પાઇજેટે સુરતથી પોતાની સેવા અનિશ્વિતકાળ માટે સ્થગિત કરી દિધી છે.
સુરક્ષા વિશેષજ્ઞોએ કહ્યું કે આ ઘટના એક મોટા અકસ્માતમાં ફેરવાઇ શકતી હતી, કારણ કે વિમાન જ્યારે ઝડપી ગતિ હોય તો પશુને બચાવવાના પ્રયત્નમાં તે પલટી ખાઇ શકે અથવા હવાઇપટ્ટી પરથી દૂર જઇ શકે છે.
ડીસીજીએના પૂર્વ પ્રમુખ એચ.એસ. ખોલાએ કહ્યું કે '' આ ગંભીર મુદ્દો છે. તેમાં ઘણા જીવ જઇ શકતા હતા. એરપોર્ટના અધિકારીઓને દિવાલ બનાવી અથવા અન્ય રીતે હવાઇપટ્ટીથી સુરક્ષા માનકોને સુનિશ્વિત કરવા જોઇએ. એવી ઘટનાઓ તે હવાઇમથકો પર વધુ થાય છે, જેની આસપાસ ગામ હોય છે. આવી સ્થિતીમાં રખડતા ઢોરોને બહાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઇએ.''
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
