મનરેગા પર સીએજી રિપોર્ટ, પરવાનગી વગર થયું કરોડોનું કામ

રિપોર્ટમાં રાજ્ય સરકારોને પણ જવાબદાર ગણાવવામાં આવી છે. બિહાર, મહારાષ્ટ્ર અને યુપીએ માત્ર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 20 ટકા રકમનો જ ઉપયોગ કર્યો છે. છ રાજ્યોના 12000થી વધારે પરિવારોને જોબ કાર્ડ આપવામાં આવ્યા નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મનરેગા યોજના વાસ્તવમાં સારી યોજના છે, પરંતુ સરકારી નીતિયોના કારણે તેનું યોગ્ય રીતે સંચાલન થઇ રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા યોજના હેઠળ કામ કરનારાઓ મજૂરોને તેમનું વેતન નહી મળવાની ઘટનાઓ પણ સામે આવી છે. તેમજ સરપંચો દ્વારા લોકોના રૂપિયા ખાઇ જવાના તેમજ ખોટા નામથી સો દિવસનો રોજગાર સરકારી બાબુઓ પોતાના ખિસામાં નાખવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. સીએજીનો આ રિપોર્ટ કોંગ્રેસ માટે વધું લપડાક સાબિત થશે.












Click it and Unblock the Notifications
