કોંગ્રેસ પર ફરી વરસ્યા પ્રશાંત કિશોર, કહ્યું- કેન્ડલ માર્ચ અને ટ્વીટથી બીજેપીને નહી હરાવી શકો
ઉત્તર પ્રદેશ સહિત 5 મહત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (પીકે) એ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે ગાંધી પરિવાર છોડીને સારા નેતાને પા
ઉત્તર પ્રદેશ સહિત 5 મહત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (પીકે) એ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે ગાંધી પરિવાર છોડીને સારા નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનું સૂચન કર્યું હતું. પીકેના કહેવા પ્રમાણે, કોંગ્રેસના નેતાઓ એવું માને છે કે તેઓ કેન્ડલ માર્ચ અને ટ્વીટ દ્વારા ભાજપને હરાવી દેશે, આ વિચાર સંપૂર્ણપણે ખોટો છે. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, જ્યાં કોંગ્રેસ વિના પણ ભારતમાં વિરોધ શક્ય છે.

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં પીકેએ કહ્યું કે 1984થી કોંગ્રેસ એક પણ લોકસભા ચૂંટણી પોતાના દમ પર જીતી શકી નથી, તેણે અન્ય પાર્ટીઓને સાથે લેવી પડી. બીજી તરફ છેલ્લા એક દાયકામાં કોંગ્રેસ 90 ટકા ચૂંટણી હારી છે. તેઓ પણ લગભગ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. પીકેના મતે હવે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વગર વિપક્ષનું ગઠન કરવું શક્ય છે. જો કોંગ્રેસે તેની સ્થિતિ સુધારવી હોય તો તેણે લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરવા જોઈએ.
પોતાના ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમની ખાસ વાત એ છે કે તેઓ દરેકની વાત સાંભળે છે, આ તેમની તાકાત છે. તેઓ જાણે છે કે લોકોને શું જોઈએ છે. આ જ કારણ છે કે આગામી કેટલાક દાયકાઓ સુધી દેશનું રાજકારણ ભાજપની આસપાસ રહેશે.
પીકેનું નિવેદન મમતાના પ્રચાર સાથે જોડાયેલું છે?
પશ્ચિમ બંગાળની બમ્પર જીત બાદ મમતા બેનર્જીની નજર રાષ્ટ્રીય રાજનીતિ પર છે. આ દિવસોમાં તે એક ખાસ અભિયાન ચલાવી રહી છે, જેનો હેતુ કોંગ્રેસ વિના ભાજપ વિરોધી મોરચો તૈયાર કરવાનો છે. તાજેતરમાં તેઓ કોંગ્રેસના અનેક સહયોગી પક્ષોના નેતાઓને મળ્યા હતા, જેમ કે એનસીપી, શિવસેના. પ્રશાંત કિશોર મમતાના ચૂંટણી રણનીતિકાર પણ હતા. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તેમણે મમતા બેનર્જીને ભાજપ વિરોધી મોરચો તૈયાર કરવાની યોજના આપી હતી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
