Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત રમખાણ માટે મોદી જવાબદાર નથીઃ રાજનાથ

modi-rajnath
નવી દિલ્હી, 17 એપ્રિલઃ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રધાનમંત્રી પદના સંભવિત ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં ખુલીને બોલતા રાજનાથે કહ્યું કે, કોઇપણ મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં અરાજકતા ફેલાવી શકે નહીં. ઇન્ડિયન વિમેન્સ પ્રેસ કોરમાં પત્રકારો સાથે વાતચીતમાં રાજનાથે કહ્યું, ' હું પણ મુખ્યમંત્રી રહી ચૂક્યો છું, તેથી મારા અનુભવે કહીં શકુ છુ કે કોઇપણ મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં અરાજકતા કે કાયદો વ્યવસ્થા ખરાબ થવા દેશે નહીં. હું વિશ્વાસ નથી કરતો કે તેમણે(મોદી) કાયદો અને વ્યવસ્થા ખરાબ થવા દે. હું એ પણ કલ્પના નથી કરતો કે કોઇ મુખ્યમંત્રી રમખાણ ભડકાવી શકે છે.'

તેમણે કહ્યું, ' ભાજપ એક અત્યંત ધર્મનિરપેક્ષ પાર્ટી છે જ્યાં કોઇ સાંપ્રદાયિક વ્યક્તિ રહી શકતો નથી.' ભાજપ અધ્યક્ષે ઇન્દિરા ગાંધી હત્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી રાજીવ ગાંધીએ તેની ટીપ્પણી યાદ અપાવી, જેના કારણે 1984માં દંગો ભડકી ઉઠ્યો હતો.

રાજનાથે કહ્યું, 'હિન્દુ-શીખ દંગા બાદ એક મોટા નેતા જે આ દૂનિયામાં નથી અને હું તેમનું નામ પણ લેવા માગતો નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે મોટા ઝાડ પડે છે તો જમીન હલે છે.' ગોધરા રમખાણો બાદ મોદીએ આ ટીપ્પણી અંગે પૂછવામાં આવતા કે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે, ભાજપ અધ્યક્ષે કહ્યું કે તે આ કથનની પૃષ્ટિ નથી કરતા.

તેમણે કહ્યું, ' હું નથી માનતો કે નરેન્દ્ર મોદીએ આવું કર્યું હતું. આ ટીપ્પણીનું તેમણે ખંડન કર્યું હતું.' રાજનાથે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અંગે પાર્ટી યોગ્ય સમય પર સંસદીય બોર્ડમાં વિચાર કર્યા બાદ ફેસલો કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X