કેપ્ટન અમરિંદરે પાક આર્મી ચીફને આપી ધમકી, બોલ્યા- 'હમ ભી પંજાબી હૈં'
કેપ્ટન અમરિંદરે પાક આર્મી ચીફને ધમકી આપી
નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરુદાસપુરમાં કરતારપુર સાહિબ કૉરિડોરની આધારશિલા રાખી. આ અવસર પર કેપ્ટન અમરિંદર સિંહ પાકિસ્તાન પર ભારે વરસ્યા. એમણે પઠાણકોટ અને અમૃતસર હુમલા માટે પાકિસ્તાની સેનાના પ્રમુખ જાવેદ બાઝવાની ભારે આલોચના કરી અને ચેતાવણી આપી કે પંજાબ અને ભારતની શાંતિને ભંગ કરવાની કોશિશ ન કરે.

પાકિસ્તાન પર વરસ્યા કેપ્ટન અમરિંદર સિંહ
એમણે કહ્યું કે એક સૈનિક હોવા ખાતર તેઓ કમર બાઝવાને કંઈક કહેવા માગે છે. કઈ આર્મી સીઝફાયરનું ઉલ્લંઘન અને સીમા પાર જવાનોનું કતલ કરતાં શીખવે છે. કઈ આર્મી ક્યારેક પઠાણકોટ તો ક્યારેક અમૃતસરમાં આતંકીઓને મોકલવાનું શીખવે છુ?
|
કેપ્ટન અમરિંદરે પાકિસ્તાન આર્મી ચીફને ચેતવણી આપી
સીએમ કેપ્ટન અમરિંદરે પાકિસ્તાન આર્મી ચીફને ચેતવણી આપતા કહ્યું કે હું તમને ચેતવણી આપું છું કે અમે પણ સિખ છીએ, પંજાબી છીએ. તમને અહીં આવવાની મંજૂરી પણ નહિ મળે અને અહીંનો માહોલ ખરાબ કરવા પણ નહિ દેશું. જણાવી દઈએ કે હાલમાં જ થયેલ નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલા પાછળ પણ પાકિસ્તાનનો હાથ હોવાના સબૂત તપાસ એજન્સીઓને મળ્યાં છે.

પાકિસ્તાન આતંકવાદ ખતમ કરે
કેપ્ટન અમરિંદરે નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા પર કહ્યું, આ સિદ્ધિની ઈચ્છા છે, હું કંઈ કહી ન શકું. સીએમ તરીકે હું મારી જવાબદારીઓ સમજું છું. એમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને ખતમ કરે ત્યારે જ તેઓ પાકિસ્તાન જશે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાન તરફથી આવેલ તે આમંત્રણને ઠુકરાવી દીધું જેમાં તેમને કતારપુર કૉરિડોરના ઓપનિંગમાં સામેલ થવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
