15 ઓક્ટોબરથી પંજાબમાં શરુ થશે પશુ મેળો, સીએમ માનનુ ખેડૂત સંગઠનો સાથે બેઠક બાદ એલાન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે રાજ્યના 31 સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ એલાન કર્યુ કે રાજ્ય સરકાર 15 ઓક્ટોબરથી રાજ્યમાં પશુ મેળો શરુ કરવા જઈ રહી છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે રાજ્યના 31 સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ એલાન કર્યુ કે રાજ્ય સરકાર 15 ઓક્ટોબરથી રાજ્યમાં પશુ મેળો શરુ કરવા જઈ રહી છે. આ મેળાને લમ્પી સ્કીન રોગ ફેલાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. પંજાબ ભવનમાં ખેડૂત સંગઠનો સાથે બે તબક્કાની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય વિશે પત્રકારોને માહિતી આપવામાં આવી.

ખેડૂતો સાથે થયેલી ચર્ચાઓ અને નિર્ણયો અંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે ખેડૂતોના પાકનો એક-એક દાણો ખરીદવામાં આવી રહ્યો છે અને ખેડૂતોનો પાક મંડીઓમાં પહોંચતાની સાથે જ ખરીદવા માટે સરકારે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યુ કે ખેડૂતોને તેમના બેંક ખાતામાં સ્થળ પર જ ચૂકવણી કરવામાં આવી રહી છે.
તેમણે જાહેરાત કરી કે વર્તમાન ખરીદ સિઝન દરમિયાન ખેડૂતોના ટ્રેક્ટરમાંથી અનાજ લોડિંગ/વહન મંજૂરી આપવામાં આવશે અને વર્તમાન ખરીદ સિઝન માટે આ કાયદામાં યોગ્ય સુધારાઓ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે ડાંગરની સીધી વાવણી કરતા ખેડૂતોને આર્થિક સહાયનુ વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે અને 17000 ખેડૂતોના બેંક ખાતામાં નાણાં જમા કરવામાં આવ્યા છે. બાકીના ખેડૂતોને પણ એક સપ્તાહમાં ચૂકવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખેડૂતોને જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર પરાલી મેનેજમેન્ટ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ કામ માટે ખેડૂતોએ રાજ્ય સરકારને સહયોગ આપવો જોઈએ.
લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુધનની સૂચિ મોકલશે કેન્દ્રને
મુખ્યમંત્રીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે લમ્પી રોગનો ભોગ બનેલા પશુધનની વિગતવાર યાદી રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને મોકલવામાં આવશે. તેમણે કહ્યુ કે આ રોગને કારણે પશુધનને નુકસાન થયુ હોય તેવા ખેડૂતોને વળતર આપવાનો મુદ્દો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ઉઠાવશે. તેમણે કહ્યુ કે આ રોગને મહામારી જાહેર કરવાની પહેલા જ કેન્દ્ર સરકાર પાસે માંગ ઉઠી છે.
આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને ટૂંક સમયમાં મળશે નોકરી
મુખ્યમંત્રીએ કહ્યુ કે પંજાબમાં ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા ઘણા કેસો રદ કરવામાં આવ્યા છે અને બાકીના કેસો પણ ટૂંક સમયમાં રદ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાય પહેલેથી જ આપવામાં આવી છે. જીવ ગુમાવનારા કુલ 624 ખેડૂતોમાંથી 326ના પરિવારોને સરકારી નોકરી આપવામાં આવી છે અને બાકીના લોકોને ટૂંક સમયમાં નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યુ કે રાજ્ય સરકાર આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોના નામે સ્મારક બનાવવાનુ કામ કરશે.
5 નવેમ્બરથી શરુ થશે
બેઠક દરમિયાન ખેડૂતોએ શેરડીના ભાવ વધારા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ખાનગી મિલોના લેણાંની ચૂકવણી માટે દરમિયાનગીરી કરવા પણ મુખ્યમંત્રીને અપીલ કરી હતી. બેઠક દરમિયાન એવુ પણ નક્કી કરવામાં આવ્યુ હતુ કે ખાંડ મિલોમાં પિરાઈની સિઝન 5 નવેમ્બરથી શરૂ થશ. તે પહેલા 11 ઓક્ટોબરે તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજવામાં આવશે.












Click it and Unblock the Notifications
