મનિષ સિસોદીયાની ગિરફ્તારીની વિરૂદ્ધ હતા CBI અધિકારી: સીએમ કેજરીવાલ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ ધરપકડ પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ કાર્યવાહી દબાણ હેઠળ કરવામાં આવી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની 8 કલાકની લાંબી પૂછપરછ બાદ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની CBI દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, દિલ્હીના ડેપ્યુટી સીએમની ધરપકડ પર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દાવો કર્યો છે કે 'દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસની તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીઓ મનીષ સિસોદિયાની ધરપકડ કરવાની વિરુદ્ધ હતા, પરંતુ ભારે દબાણને કારણે સીબીઆઈ અધિકારીઓને તેમના રાજકીય બોસે ધરપકડ કરવાની ફરજ પડી હતી.

સીબીઆઈ પાસે કોઈ પુરાવા નથી
દિલ્હીના સીએમએ એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઈ અધિકારીઓ દિલ્હીના ડેપ્યુટી સીએમને ખૂબ માન આપે છે, અને એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઈ પાસે મનીષ સિસોદિયા વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પાછી ખેંચી લેવામાં આવેલી દિલ્હી લિકર પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં મનીષ સિસોદિયાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ દિલ્હીની શાસક આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ ભડક્યો છે.

સીબીઆઈના અધિકારીઓ સિસોદીયાની ધરપકડના વિરોધમાં હતા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં લખ્યું છે કે મને કહેવામાં આવ્યું છે કે મોટાભાગના સીબીઆઈ અધિકારીઓ મનીષ સિસોદિયાની ધરપકડની વિરુદ્ધ હતા. તેઓ બધા તેને ખૂબ માન આપે છે અને તેની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પરંતુ તેમની ધરપકડ કરવા માટેનું રાજકીય દબાણ એટલું મોટું હતું કે તેમણે તેમના રાજકીય આકાઓની આજ્ઞા માનવી પડી હતી. તમને જણાવી દઈએ કે દિલ્હી MCDમાં સ્થાયી સમિતિના 6 સભ્યોની ચૂંટણીમાં થયેલા હંગામા બાદ શનિવારે આ ધરપકડ થઈ હતી. નોંધનીય છે કે આ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં એક નેતા પણ જમીન પર ઢળી પડ્યા હતા.

AAPએ મનીષની ધરપકડને રાજકીય કાવતરું ગણાવ્યું
MCD ચૂંટણી બાદ AAP અને BJP વચ્ચેની ખેંચતાણ વચ્ચે CBIએ રવિવારે જૂની દારૂની નીતિમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયા દિલ્હી સરકારના બીજા મંત્રી છે જેમની ફેડરલ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, AAPએ કહ્યું કે આ પગલું પાર્ટી વિરુદ્ધ રાજકીય ષડયંત્રના ભાગ રૂપે હતું.
જોકે, સીબીઆઈ અધિકારીએ નિવેદન આપ્યું હતું કે મનીષ સિસોદિયાએ ઉલટું જવાબો આપ્યા હતા અને વિરુદ્ધ પુરાવાનો સામનો કરવા છતાં તપાસમાં સહકાર આપ્યો ન હતો. આથી તેની ધરપકડ કરવામાં આવી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
