Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'નોકરશાહી હવે આવી શકે છે નિક્કરમાં', કેન્દ્રએ હટાવ્યો RSS પરનો પ્રતિબંધ, કોંગ્રેસ ભડકી

Congress Reaction On RSS Ban Lift: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ પરના દાયકાઓ જૂના પ્રતિબંધને હટાવી લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી હતી.

એક પોસ્ટમાં જયરામ રમેશે 9 જુલાઈના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા કથિત આદેશની નકલ શેર કરી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1966થી અમલમાં આવેલ RSSની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

RSS

તમને જણાવી દઈએ કે, RSSને 1948માં ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે તેના એક સભ્ય નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. જયરામ રમેશે કહ્યું, "ગાંધીજીની હત્યા બાદ સરદાર પટેલે ફેબ્રુઆરી 1948માં RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં સારા વર્તનની ખાતરી પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. તેમ છતાં RSSએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી." કોંગ્રેસ નેતાએ કહ્યું કે 1966માં નવો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "સરકારી કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમાત-એ-ઈસ્લામીના સભ્યપદ અને તેમની પ્રવૃત્તિઓમાં ભાગીદારી અંગે ચોક્કસ શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે, તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકાર હંમેશા આ બંને સંગઠનોની પ્રવૃત્તિઓ એવી માનતી રહી છે કે તેમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી કેન્દ્રીય નાગરિક સેવા આચાર નિયમોને આકર્ષિત કરશે."

રમેશે પ્રતિબંધ હટાવવાની આકરી ટીકા કરી હતી અને આ પગલાના સમય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, "4 જૂન, 2024 પછી, સ્વયંભી બિન-જૈવ વૈજ્ઞાનિક વડા પ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધો ખરાબ રીતે બગડ્યા છે. 9 જુલાઈ, 2024ના રોજ,58 વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો જે શ્રી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ લાગુ હતો." જયરામ રમેશે 2016માં બ્રાઉન પેન્ટના સ્થાને ખાકી શોર્ટ્સના RSS યુનિફોર્મનો ઉલ્લેખ કરતા કટાક્ષમાં કહ્યું, "હવે નોકરિયાત વર્ગ પણ નિક્કર પહેરીને આવી શકે છે."

બીજેપીના આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ પણ આદેશનો સ્ક્રીનશોટ શેર કર્યો અને આ પગલાને આવકારતા કહ્યું, "1966 માં જાહેર કરાયેલ ગેરબંધારણીય આદેશ, જેણે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેને મોદી સરકાર દ્વારા પાછો ખેંચી લેવામાં આવી છે." માલવિયાએ જણાવ્યું હતું કે મૂળ આદશ પહેલી વારમાં જ પસાર થવો જોઈતો નહોતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X