રાજ્યો માટે કેન્દ્ર ખરીદે વેક્સીન નહિતર ભારતની છબી ખરાબ થશેઃ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્રએ રાજ્યો તરફથી વેક્સીનની ખરીદી કરવી જોઈએ.
નવી દિલ્લીઃ કોરોના મહામારીના બચાવ માટે વેક્સીનેશન વધુ સંખ્યામાં કરાવવાનો એકમાત્ર વિકલ્પ રાજ્યો પાસે છે. ત્યારબાદ દેશમાં ઘણા રાજ્ય પોતાના રાજ્ય માટે વેક્સીનની ખરીદી કરી રહ્યા છે. જે અંગે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્રએ રાજ્યો તરફથી વેક્સીનની ખરીદી કરવી જોઈએ. તેમણે આની પાછળના તથ્ય આપ્યુ કે કોરોના રસી માટે રાજ્યોનુ આંતરરાષ્ટ્રીય બજારમાં એકબીજા સાથે ઝઘડવુ અને સ્પર્ધા કરવુ ભારતની છબી માટે હાનિકારક છે. આનાથા આપણા દેશની છબી ખરાબ થાય છે.

કેજરીવાલે આપી આ સલાહ
સીએમ કેજરીવાલે ગુરુવારે કહ્યુ કે વિદેશોમાંથી કોવિડ-19 રસીની ખરીદી માટે અલગ અલગ ટેન્ડરો જારી કરવા દુનિયામાં ભારતની છબી માટે હાનિકારક છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યુ કે ભારતીય રાજ્યોને આંતરરાષ્ટ્રીય બજારમાં એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરવા/લડવા માટે છોડી દીધા. ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સાથે, મહારાષ્ટ્ર ઓરિસ્સા સાથે, ઓરિસ્સા દિલ્લી સાથે લડી રહ્યુ છે. ભારત ક્યાં છે? ભારતની કેટલી ખરાબ છબી બને છે. તેમણે સલાહ આપી કે ભારતે એક દેશ તરીકે બધા ભારતીય રાજ્યો તરફથી રસી ખરીદી કરવી જોઈએ.
રાજ્યોએ વેક્સીન ખરીદવા માટે વૈશ્વિક સ્તરે જવાનો નિર્ણય કર્યો છે
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાના, હરિયાણા અને દિલ્લી એવા 10 રાજ્યો છે જેમણે વેક્સીન ખરીદવા માટે વૈશ્વિક સ્તરે જવાનો નિર્ણય કર્યો છે કારણકે દેશમાં રસીનો પુરવઠો જનસંખ્યાની સરખામણીમાં પૂરતો નથી. તેમણે કહ્યુ રાજ્ય ભલે ભાજપ દ્વારા શાસિત હોય કે નહિ, એ બધા માટે મહત્વનુ થઈ ગયુ છે કારણકે મહત્તમ સંખ્યામાં લોકોનુ રસીકરણ કરવુ અત્યારે બધા માટે સૌથી મહત્વપૂર્ણ છે. કેન્દ્ર રસીકરણના બીજા ડોઝ માટે પ્રશાસનને પ્રાથમિકતા આપી રહ્યુ છે જ્યારે દિલ્લી, મહારાષ્ટ્ર અને કર્ણાટકે હાલમાં 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણ રોકી દીધુ છે.
કેન્દ્ર ખરીદશે તો તે વધુ સોદાબાજી કરી શકશે
કેજરીવાલે આ અંગે વધુ એક ટ્વિટ કર્યુ અને લખ્યુ કે રાજ્યો દ્વારા વ્યક્તિગત રીતે કરતા ભારત દ્વારા રસી ઉત્પાદન કરી રહેલા દેશોમાંથી ખરીદી કરવાથી વધુ સોદાબાજીની શક્તિ મળશે. તેમણે કહ્યુ કે ભારત સરકાર પાસે આવા દેશો સાથે ભાવતાલ કરવા માટે વધુ કૂટનીતિક સંભાવના છે.
આ રીતે અમીર રાજ્યો સારી સ્થિતિમાં રહેશે
વેક્સીન એક રાજ્ય વિરુદ્ધ બીજા રાજ્યની લડાઈ બની રહી છે કારણકે સૌથી વધુ સંખ્યાાં વેક્સીનનો ડોઝ મેળવવા માટે અમીર રાજ્યો સારી સ્થિતિમાં હશે. દેશના સૌથી ધનિક નગર નિગમ મુંબઈએ બુધવારે એક કરોડનો ડોઝ માટે ગ્લોબલ એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ જારી કરવા સાથે નગર નિગમ સ્તરે પણ રસીની ખરીદી માટે ટેન્ડર આપવામાં કામ કરવામાં આવી રહ્યુ છે. બીએમસીએ કહ્યુ કે વેક્સીન નિર્માતા, ભારતીય ભાગીદાર, અધિકૃત વિતરક બોલીમાં ભાગ લઈ શકે છે પરંતુ તેમણે ભારત સાથે સીમા શેર કરનારા દેશોમાંથી ન હોવુ જોઈએ.












Click it and Unblock the Notifications
