દિલ્લીને એસિડ એટેકથી મુક્ત બનાવવાનું અભિયાન, હજારો લિટર એસિડ જપ્ત
દેશની રાજધાનીમાં જે રીતે એસિડ એટેકના કેસ વધી રહ્યા છે તેને રોકવા માટે પ્રશાસને મોટુ અભિયાન શરૂ કર્યુ છે.
દેશની રાજધાનીમાં જે રીતે એસિડ એટેકના કેસ વધી રહ્યા છે તેને રોકવા માટે પ્રશાસને મોટુ અભિયાન શરૂ કર્યુ છે. આ બાબતે 22 ઓગસ્ટે ચીફ સેક્રેટરી વિજય દેવની અધ્યક્ષતામાં વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં દિલ્લી મહિલા પંચની અધ્યક્ષતા સ્વાતિ માલીવાલ અને તમામ વિભાગના સચિવો, દિલ્લી પોલિસના પ્રતિનિધિ અને ડીએસએલએસએના સભ્યોએ ભાગ લીધો અને આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી. બેઠકમાં ચીફ સેક્રેટરીએ એસિડ હુમલા વિશે ચિંતા વ્યક્ત કરી અને તેમણે નિર્દેશ આપ્યા કે તમામ વિભાગ એસિડના વેચાણ પર નજર રાખે અને એસિડ હુમલાના પીડિતોના પુનર્વસનની વ્યવસ્થા કરે.

ટીમની રચના
ચીફ સેક્રેટરીએ ડિવિઝનલ કમિશ્નર કમ સેક્રેટરી (રેવન્યુ)ને નિર્દેશ આપ્યા છે કે આ મુદ્દે તત્કાળ એસડીએમ, ડીસીડબ્લ્યુના પ્રતિનિધિ અને દિલ્લી પોલિસના પ્રતિનિધિની એક ટીમ બનાવે. ચીફ સેક્રેટરીએ આ ઉપરાંત કડક નિર્દેશ આપ્યા છે કે આ ટીમ રોજ એ જગ્યાઓએ રેડ પાડે જ્યાં ગેરકાયદેસર રીતે એસિડ અને દારૂ વેચવામાં આવે છે. સાથે આ પ્રસંગે આમ કરનારા સામે કેસ નોંધવામાં આવે.

ઘણી જગ્યાએ રેડ
છેલ્લા 10 દિવસોમાં એસડીએમ, ડીસીડબ્લ્યુ અને દિલ્લી પોલિસની ટીમે 100 રેડ પાડી છે અને 7 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ ઉપરાંત 1000 લિટર એસિડ જપ્ત કરવામાં આવ્યુ છે. નરેલા વિસ્તારમાં એક દુકાનમાંથી 240 લિટર એસિડ એક નાની દુકાનમાંથી જપ્ત કરવામાં આવ્યુ છે. નઝફગઢ સબ ડિવિઝન વિસ્તારમાં 250 લિટર એસિડ જપ્ત કરવામાં આવ્યુ. અહીં પણ ગેરકાયદેસર રીતે એસિડ વેચવામાં આવી રહ્યુ હતુ. લગભગ બધા દુકાનો પર એસિડના વેચાણના કોઈ રેકોર્ડ ન મળી આવ્યા. તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટે આ બાબતે નિર્દેશ આપ્યા હતા કે એસિડના વેચાણના રેકોર્ડ મેઈન્ટેઈન કરવા જરૂરી છે. તેમ છતાં આ દુકાનો પર કોઈ રેકોર્ડ મળ્યા નહિ. દિલ્લીના બધા 24 ડિવિઝન વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે.

સ્વાતિ માલિવાલે કરી પ્રશંસા
ડીસીડબ્લ્યુના ચેરપર્સન સ્વાતિ માલિવાલે ચીફ સેક્રેટરીના પગલાંની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે જો આ રીતના પગલા પહેલા ઉઠાવ્યા હોત તો ઘણા એસિડ એટેકના કેસ રોકી શકાત. હું દિલ્લીના મુખ્ય સચિવના પગલાનુ સ્વાગત કરુ છુ. મને આશા છે કે આ પગલાંથી દુકાનો પર ગેરકાયદેસર રીતે વેચાતા એસિડ પર રોક લાગશે. વળી, ચીફ સેક્રેટરીએ કહ્યુ કે હું દિલ્લીમાં વધતા એસિડ હુમલાથી ઘણી વ્યથિત છુ. હું માનુ છુ કે એસિડ એટેક સૌથી પીડાદાયી હુમલામાંથી એક છે. આનાથી પીડિતોને ઘણી પીડામાંથી પસાર થવુ પડે છે. અમે આને રોકવા માટે કડક નિર્દેશ જારી કર્યા છે. હું બધા એસડીએમ અને પોલિસ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે એસિજના ખુલ્લામાં વેચાણ સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ કરવામાં ન આવે. અમે દિલ્લીને એસિડ મુક્ત બનાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
