ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરનું એલાન, કહ્યું- મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડીશ
મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડીશઃ ભીમ આર્મીના ચંદ્રશેખર
મેરઠઃ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે તેઓ પીએમ મોદીને હરાવવા માટે બનારસ એટલે કે વારાણસીથી લડી શકે છે.બીજી બજુ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના મળવાના મામલામાં ખુદને રાજનીતિથી અલગ ગણાવ્યા. ચંદ્રશેખરે કહ્યું કે તેમણે કોઈને આમંત્રણ નથી આપ્યું, જે કોઈપણ ઈચ્છે આવી શકે અને તેમને મળી શકે છે.

રાજકારણમાં ગરમાવો
જણાવી દઈએ કે આચાર સંહિતાના ઉલ્લંઘનમાં મંગળવારે પોલીસે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. જે બાદ તબિયત બગડતા તેમને મેરઠના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર હોસ્પિટલમાં દાખલ ચંદ્રશેખરને મળવા પહોંચ્યા. તેમણે ચંદ્રશેખરના હાલચાલ પૂછ્યા. આ મુલાકાત બાદ રાજકારણમાં ગરમાવો પેદા થયો છે.

મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની વાત
ચંદ્રશેખર આઝાદે સ્પષ્ટ કહ્યું કે જે કોઈપણ ભાજપને હરાવશે તેઓ તેમની સાથે છે. તેમણે કહ્યું કે તેમણે કોઈને પણ આમંત્રણ નથી આપ્યું, જે કોઈપણ ઈચ્છે તેમને મળવા જઈ શકે છે. તેઓ ગઠબંધનને જ સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીને હરાવવા માટે બનારસથી ચૂંટણી પણ લડી શકે છે.

15 માર્ચે દિલ્હીમાં હુંકાર રેલી
ચંદ્રશેખરે સોશિયલ મીડિયા દ્વારા 15 માર્ચે દિલ્હીમાં બહુજન હુંકાર રેલી કરવાની વાત કહી છે. ચંદ્રશેખરે કહ્યું કે હુંકાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે, દુનિયાની કોઈપણ તાકાત તેમને રેલી કરતાં નથી રોકી શકતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
