ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ, બદ્રીનાથ હાઇવે રિપેર માટે ટીમ કામે લાગી!
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. સરકારે કહ્યું છે કે, યાત્રાળુઓ સરળતાથી યમુનોત્રી-ગંગોત્રી અને કેદારનાથ જઈ શકે છે. બીજી તરફ બદ્રીનાથ તરફ જતા બદ્રીનાથ હાઇવેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
હરિદ્વાર, 20 ઓક્ટોબર 2021 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. સરકારે કહ્યું છે કે, યાત્રાળુઓ સરળતાથી યમુનોત્રી-ગંગોત્રી અને કેદારનાથ જઈ શકે છે. બીજી તરફ બદ્રીનાથ તરફ જતા બદ્રીનાથ હાઇવેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ હાઇવેને નુકસાન થયું છે. આ હાઈવે હાલ જોશીમઠ પાસે બંધ છે અને તેના કારણે અહીં હજુ બદ્રીનાથ યાત્રા શરૂ થઈ નથી.

ઉત્તરાખંડ પોલીસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, ટૂંક સમયમાં બદ્રીનાથ યાત્રા પણ સુરારૂ રૂપે શરૂ થઈ જશે. પોલીસે તેના સત્તાવાર ટ્વિટર પર જણાવ્યું હતું કે, યમુનોત્રી-ગંગોત્રી, કેદારનાથ ધામ યાત્રા ફરી શરૂ થઈ છે. જો કે જોશીમઠ નજીક બદ્રીનાથ હાઇવે બંધ થવાના કારણે બદ્રીનાથ યાત્રા શરૂ થઇ શકી ન હતી, પરંતુ બદ્રીનાથ યાત્રા પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.
આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત ઉત્તરાખંડની સમીક્ષા કરી હતી. જેપી નડ્ડાએ નિર્દેશ આપ્યો છે કે આરોગ્ય કર્મચારીઓએ નાના જૂથોમાં અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડમાં નૈનિતાલ પાસે વાદળ ફાટ્યા બાદ ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 40 થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક લોકોના લાપત્તા થયાના પણ અહેવાલ છેે. જો કે હવે સ્થિતી સામાન્ય થઈ રહી છે અને ધીમે ધીમે જનજીવન સામાન્ય થતા ચાર ધામ યાત્રા બહાલ કરવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
