Chhattisgarh Election : છત્તીસગઢમાં 3 વાગ્યા સુધીમાં 60 ટકાથી વધુ મતદાન
નક્સલ પ્રભાવી રાજ્ય છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. પ્રચારમાં નક્સલી હુમલા બાદ પણ અહીં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નક્સલી હુમલા અને બીજેપી નેતાની હત્યા પણ થઈ છે. અહીં મતદારો ડરથી બહાર આવીને લોકશાહીના હિતમાં પોતાનો કિંમતી મત આપવા પહોંચી રહ્યા છે.

ત્રણ વાગ્યા સુધીના આંકડા અનુસાર, 60 ટકાથી વધારે મતદાન નોંધાયુ છે. અહીં ઘણા મતદાન મથકો પર મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે, છત્તીસગઢમાં પણ માહોલ કોંગ્રેસના પક્ષમાં જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસનો મુકાબલો બીજેપી સામે છે. જો કે આ ઓપિનિયન પોલમાં કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
